Health Tips : ખાલી પેટે પાણી પીવાનું પણ સાબિત થઇ શકે છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ભોજન પછી કે મસાલેદાર ખોરાક ખાધા પછી લોકો પાણી પીએ છે.પણ શું તમે ખાલી પેટે પાણી પીવાના ફાયદા જાણો છે. આવો અમે તમને જણાવીએ.

Health Tips : ખાલી પેટે પાણી પીવાનું પણ સાબિત થઇ શકે છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
Benefits of drinking water: 10 benefits of drinking water on an empty stomach
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 8:54 AM

પાણી પીવાના ફાયદા: શરીરને તંદુરસ્ત(healthy) અને ફિટ(fit) રાખવા તેમજ આપણી દૈનિક ક્રિયાઓ જાળવી રાખવા આપણે ખોરાક(food) લઈએ છીએ. પરંતુ ખોરાકની સાથે આપણા માટે પાણી પીવું પણ તેટલું જ જરૂરી છે. માત્ર શરીરને હાઇડ્રેટ રાખવા માટે કે તરસ છીપાવવા માટે જ નહિ પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ પાણી(water) પીવું જરૂરી છે. જમ્યા પછી પાણી પીવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. પણ ખાલી પેટે પાણી પીવાના પણ ઘણા ફાયદા છે.

માનવ શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. તરસ મટાવવા માટે આ શ્રેષ્ઠ પીણું છે. ઘણીવાર આપણે ભોજન પછી કે મસાલેદાર ખોરાક ખાધા પછી પાણી પીએ છીએ. પરંતુ ખાલી પેટ પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

મેટાબોલિઝમ સુધારે છે – (metabolism) ખાલી પેટ પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેનાથી ખોરાકને ઝડપથી પચવામાં મદદ મળે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. રોજ ઓછામાં ઓછું 4 લિટર પાણી પીવું જ જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઇમ્યુનિટી તંત્ર માટે ફાયદાકારક – (immunity) હાલના સમયમાં ઇમ્યુનિટી સૌથી જરૂરી છે. ખાલી પેટે નિયમિત પાણી પીવાની ટેવ આપણી ઇમ્યુનિટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી ચેપ કે બીમારી સામે લડવામાં મદદ મળી શકે છે. તે આરોગ્યને સુધારવા માટે કામ કરે છે.

શરીરમાંથી ટોક્સિન પણ મદદ કરે છે – (toxin) પૂરતા પ્રમાણમાં પાણી તમારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. તમે જેટલું વધારે પાણી પીશો તેટલું તમે બાથરૂમ જવું પડશે. તે રીતે તમે તમારા શરીરને શુદ્ધ અને ડિટોક્સિફાય કરો છો.

માઇગ્રેન એટેકને અટકાવે છે – (migraine attack) વારંવાર માથાનો દુઃખાવો શરીરમાં પાણીની ઉણપના લીધે થાય છે. જેથી ઘણા લોકો માઇગ્રેનના હુમલાથી પીડાય છે. ડિહાઇડ્રેશન માથાનો દુખાવાનું મુખ્ય કારણ છે. વારંવાર અને ખાલી પેટ પાણી પીવાથી માથાનો દુખાવો નેચરલી દૂર થઈ શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી મોં અથવા દાંતની સમસ્યાઓથી પણ દૂર રહી શકાય.

વજન ઘટાડવામાં મદદ કરે છે – (weight loss) આહાર દરમિયાન વધુ પાણી પીવાથી પણ તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. પાણીમાં કેલરી નથી હોતી. સમયાંતરે પાણી પીવાથી તમારું પેટ ભરેલું રહે છે. ઉપરાંત, તેના કોઈ નકારાત્મક પરિણામો નથી. પાણી પીવાથી તે ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

તમને ભૂખ લાગે છે -(hungry) જો તમને બરાબર રીતે ભૂખ ન લાગતી હોય તો નિયમિત પાણી આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. જેનાથી તમારું આરોગ્ય સારું રહે છે.અને તમને ભૂખ પણ લાગે છે.

ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે -(skin care) ખૂબ વધારે પાણી પીવું નિરોગી અને ચમકદાર ત્વચા મેળવવાનો સૌથી સહેલો રસ્તો છે. ખીલ શરીરમાં ઝેરના સંચયને કારણે થાય છે. પાણી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરી શકે છે. તે તમારી ત્વચા પર ચમક લાવવામાં મદદ કરે છે.

તમારા આંતરડા સાફ કરે છે – (intestines) ખાલી પેટ પાણી પીવાથી ખોરાકમાં પાચનમાં મદદ મળે છે. તે તમારા શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે.

ઉર્જા વધારવામાં મદદ કરે છે – (energy) જો તમને ઊંઘ અથવા સુસ્તી લાગે છે, તો ખાલી પેટ પાણી પીવાથી તમને તાત્કાલિક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. તે રેડ બ્લડસેલ વધારવામાં મદદ કરે છે.

તે કોલોનને સાફ કરે છે -(colon) ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવાથી સંગ્રહયેલી ગંદકીથી છુટકારો મેળવવામાં મદદ મળે છે અને પોષક તત્ત્વોનું ઝડપી શોષણ કરવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો :

Health Tips : શું તમને વધુ કૉફી પીવાની આદત છે, વાંચો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે ?

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">