AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શું તમને વધુ કૉફી પીવાની આદત છે, વાંચો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે ?

ઘણા લોકો થાક અને માથાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે કોફી પીવે છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. પરંતુ વધુ પડતી કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Health Tips : શું તમને વધુ કૉફી પીવાની આદત છે, વાંચો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે ?
tips drinking too much can effect your health and causes heart diseases
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:10 PM
Share

Health Tips : ઘણા લોકો કામનો થાક દૂર કરવા માટે કોફીનું સેવન કરે છે. તેને પીવાથી શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે. કોફીમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો તમે વધારે પડતી કોફી (Coffee )પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તાજેતરના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધુ કોફી પીવાથી ડેંમેશિયાનું જોખમ વધે છે.

રિપોર્ટ મુજબ, દિવસમાં 6 કપથી વધુ કોફી પીવાથી ડેંમેશિયા જેવી માનસિક બીમારી થઈ શકે છે. આ સિવાય હાર્ટ સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે વધારે પડતી કોફી (Coffee) પીવાથી શું નુકસાન થાય છે.

ઉંધ ન આવવી

કોફી (Coffee )પીવાથી સુસ્તી દૂર થાય છે અને તમે વધુ સમય જાગી શકો છો. કોફી (Coffee)તમને અલર્ટ રાખવામાં મદદ કરે છે, ખાસ કરીને જો તમે કોઈ કામ કાળજીપૂર્વક કરી રહ્યા હોય. પરંતુ વધુ પડતા કેફીનનું સેવન કરવાથી તમને રાત્રે ઉંધ નહીં આવે. રાત્રે સુવાના ટાઈમ-ટેબલને પણ ખરાબ કરે છે.

પેટની સમસ્યાઓમાં વધારો થાય છે

મોટાભાગના લોકો જાણે છે કે, કોફી પીવાથી શરીરના અનેક ભાગો પર અસર પડે છે. કોફી (Coffee )પીવાથી હોર્મોન ગેસ્ટ્રિન રિલીઝ થાય છે, જે કોલનની એક્ટિવિટીને વધારવાનું કામ કરે છે. જો તમે વધારે માત્રામાં કોફી પીતા હોવ તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. આ સિવાય, અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

બ્લડ પ્રેશર વધે છે

વધારે પ્રમાણમાં કોફી પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓના કોષોને નુકસાન થઈ શકે છે, જેના કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે. આ કારણે, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશર (High blood pressure)ના દર્દી છો તો કેફીનનું સેવન કરવામાં સાવધાની રાખો.

થાક

જો તમે કોફી (Coffee ) પીતા હો તો પણ તમને થોડા સમય માટે એનર્જી મળે છે. પરંતુ વધુ પડતી કેફીનનું સેવન કરવાથી તેની અસર વિપરીત જોવા મળે છે, જેના કારણે સુસ્તી અને આળસ આવે છે. કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે હોવાથી શરીર પહેલા કરતા વધારે થાક અનુભવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : semifinal ticket : દરેક ભારતીયને આ વિડીયો જોઈ ગર્વ થશે, તમારી આખમાં પણ આસું આવશે

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">