AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakti Cyclone: જો ‘શક્તિ વાવાઝોડું’ ગુજરાત તરફ ફંટાયુ તો શું થશે? કેટલી ખાનાખરાબી સર્જી શકે? વાંચો

શક્તિ વાવાઝોડાનું સંકટ હજુ પણ ગુજરાતમાં મંડરાઈ રહ્યું છે. હાલ તેની દિશા ઓમાન તરફ હોવાનું જણાઈ રહી છે પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ 6 ઓક્ટોબરને આસપાસ વાવાઝોડું તેની દિશા ફેરવી શકે છે અને ગુજરાતના દરિયાકાંઠા પર તેની અસર થવાની શક્યતા છે.

Shakti Cyclone: જો 'શક્તિ વાવાઝોડું' ગુજરાત તરફ ફંટાયુ તો શું થશે? કેટલી ખાનાખરાબી સર્જી શકે? વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2025 | 7:23 PM
Share

જો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો શું થશે? આ પ્રશ્ન હાલમાં દરેક ગુજરાતીઓના મનમાં સૌથી મોટો ભય બની રહ્યો છે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે સૌથી પહેલા તો કચ્છ, જાફરાબાદ, દીવ, દ્વારકા, પોરબંદર અને ભાવનગર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ અસરગ્રસ્ત થશે. વધુમાં અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.

વાવાઝોડા દરમિયાન સૌથી મોટો ખતરો તોફાની પવનથી હોય છે. 100 થી 120 કિ.મી. પ્રતિ કલાકના પવનથી મકાનોની છત ઉડી શકે છે, ઝાડ પડી શકે છે અને વીજળી પુરવઠો ખોરવાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળતાં માછીમારો માટે મોટું જોખમ ઊભી થઈ શકે છે. આથી પહેલેથી જ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવે છે.

વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો શું થશે?

વાવાઝોડું આવે ત્યારે ભારે વરસાદથી શહેરોમાં પાણી ભરાઈ શકે છે, વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે અને ગામડાઓમાં ખેતીને નુકસાન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને કપાસ અને રવિ પાક પર ભારે અસર પડે છે. ગુજરાત પરથી ચોમાસાએ હજુ સંપૂર્ણપણે વિદાય નથી લીધી અને એવામાં હવે વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ 6 ઓક્ટોબરે તેની દિશા પરિવર્તિત થઈ ગુજરાત તરફ ફંટાઈ શકે છે.

5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ પકડશે અને 6 ઓક્ટોબરે યુ-ટર્ન લેશે એવી આગાહી છે. જો કે, ગુજરાત તરફ વળ્યા બાદ વાવાઝોડું ધીમું પડશે. 7, 8 અને 9 ઓક્ટોબરે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે શું જણાવ્યું?

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પવનની ઝડપ 40 થી 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. 4 થી 7 ઓક્ટોબર દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે તેવી સંભાવના છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે શું આગાહી કરી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓમાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાને કારણે ગુજરાત પર જોખમ ટળી શકતું નથી. તેમણે જણાવ્યું કે, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં 4 થી 8 ઈંચ વરસાદ થઈ શકે છે અને તેના કારણે ઠંડી વધશે.

સામાન્ય રીતે જોવામાં આવે તો વાવાઝોડું ઓમાન તરફ જઇ રહ્યું છે પરંતુ આવતીકાલે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ વળી શકે છે. જો કે, આ દરમિયાન તેની તીવ્રતા નબળી પડી શકે છે. આમાં સીધો ખતરો ન હોવા છતાં પણ ભેજવાળું વાતાવરણ અને ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">