AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા : સાવલીના ગોઠડા ગામે નશીલા પદાર્થ પીવાથી એક વ્યક્તિનું મોત

તાડી જેવા નશીલા પદાર્થ પીવાથી ત્રણ સંતાનોના પિતાનું મોત થયાનો આરોપ છે. ગોઠડા ગામે રૂ.10 માં વેચાતા નશીલા પદાર્થ પીવાથી વ્યક્તિનું મોત થયાનો મૃતકના પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે.

વડોદરા : સાવલીના ગોઠડા ગામે નશીલા પદાર્થ પીવાથી એક વ્યક્તિનું મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 9:28 AM
Share

વધુ એકવાર નશીલા પદાર્થે એક વ્યક્તિનો ભોગ લીધો છે. વડોદરાના સાવલીના ગોઠડા ગામે નશીલા પદાર્થ પીવાથી એક વ્યક્તિનું મોત થવાની ઘટના સામે આવી છે. તાડી જેવા નશીલા પદાર્થ પીવાથી ત્રણ સંતાનોના પિતાનું મોત થયાનો આરોપ છે. ગોઠડા ગામે રૂ.10 માં વેચાતા નશીલા પદાર્થ પીવાથી વ્યક્તિનું મોત થયાનો મૃતકના પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે.

આ પણ વાંચો :Vadodara : રખડતી રંજાડનો ત્રાસ યથાવત, 79 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મૃતદેહને સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં મૃતકના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, ગોઠડી ગામે જાહેરમાં નશીલા પદાર્થની હાટડીઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર મુકપ્રેક્ષકની જેમ બેઠુ રહેશે કે કોઈ એક્શન લેશે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

રાજ્યમાં સતત નશીલા પદાર્થ ઝડ્પાય છે

થોડા દિવસ અગાઉ પણ દાહોદમાં લોકલ ક્રાઈમ બ્રાંચે 47 લાખથી વધુનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરો મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવતા ટ્રક મારફતે દારુ લાવવામાં આવતો હતો. બુટલેગરો દારુનો જથ્થો સફેદ પાઉડરની થેલીઓની આડમાં ગુજરાતમાં લાવવામા આવતો હતો. પોલીસે ખંગેલા બોર્ડર નજીક બાતમીના આધારે 47.48 લાખનો દારુનો જથ્થો ઝડપાયો હતો.પોલીસે દારુના જથ્થો અને ટ્રક મળીને કુલ 77.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

થોડા દિવસો પહેલા સુરત શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો પીકઅપ વાનમાં દારુ ભરીને લાવી રહ્યા હતા, ત્યારે આવા જ એક કીમિયાનો સુરત પીસીબી પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે લાખો રુપિયાનો દારુનો જથ્થો ઝડપી લીધો હતો.

તો બીજી તરફ બનાસકાંઠાના થરાદમા ચોખાની આડમાં થતી વિદેશી દારુની હેરા ફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે બાતમીના આધારે ભારતમા બનાવેલ વિદેશી દારુની 198 પેટીઓને ઝડપી પાડી હતી.

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">