AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : વૃદ્ધાનો ભોગ લેનારી ગાયના માલિકની થઈ ધરપકડ, તંત્રએ ગટર -પાણીના જોડાણ કાપવાના આદેશ આપ્યા

રખડતા ઢોર અને તે અંગેની કામગીરી માટે ધારાસભ્ય કેયૂર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર સાથે ચર્ચા કરીને રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ કડક કામગીરી કરવાના આદેશ પણ જાહેર કર્યા હતા.

Vadodara : વૃદ્ધાનો ભોગ લેનારી ગાયના માલિકની થઈ ધરપકડ, તંત્રએ ગટર -પાણીના જોડાણ કાપવાના આદેશ આપ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 9:08 AM
Share

વડોદરામાં  રખડતી ગાયોના હુમલાને કારણે વૃદ્ધાના દુ:ખદ  મોતની  ગંભીર ઘટના બાદ સ્થાનિકોનો આક્રોશ જોતા મોડે મોડે પણ તંત્ર હરકતમાં આવ્યું  હતું અને ગેરકાયદે ઢોરવાડો તોડી નાખ્યો હતો. સાથે જ સાથે જ વરણા વિસ્તારમાંથી ગાયના માલિક કરણ મૂલજીભાઈ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વડોદરાના તંત્ર દ્વારા ઢોર માલિકના ઘરના તમામ વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા આદેશ કરવામાં આવ્યો છે

સ્ટેન્ડિંગ કમિટીના  ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે  વૃદ્ધાનો ભોગ લેનાર ગાય માલિકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે તેમજ  પોલીસ પાસા સુધીની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી છે. હવે જે રસ્તા પર  ઢોર રખડતા મુકનારના પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાશે.  તેમણે ઉમેર્યું હતું કે કોને ઢોરના ત્રાસથી મુક્ત કરવા ખટમ્બા ખાતે હોસ્ટેલ બનાવી છે પરંતુ પશુપાલકો તેનો લાભ નથી લેતા.

પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી

સમગ્ર ઘટના એવી હતી કે વડોદરાના માણેજા પાસે આવેલી પંચરત્ન સોસાયટીમાં વૃદ્ધા નિશ્ચિત થઈને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ યમદૂત બનીને આવેલી ગાયે હિંસક હુમલો કરી દીધો હતો. ગાયના ટોળાનો હુમલો એટલો તો હિંસક હતો કે નિ:સહાય વૃદ્ધાનો પગ ભાંગી ગયો હતો અને જોત જોતામાં ઘટનાસ્થળ ઉપર જ વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત થઇ ગયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

ધારાસભ્ય કેયૂર રોકડિયાએ આપ્યા કડક કામગીરીના આદેશ

રખડતા ઢોર અને તે અંગેની કામગીરી માટે ધારાસભ્ય કેયૂર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર સાથે ચર્ચા કરીને રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ કડક કામગીરી કરવાના આદેશ પણ જાહેર કર્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તંત્રએ 40 રખડતા ઢોર ડબે પૂરી દીધા હતા.વૃદ્ધાના મોત બાદ સ્થાનિકોના આક્રોષને જોતા તંત્રએ  ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો હતો.

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">