AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : “વિદેશમાં નહીં, દેશમાં લગ્ન કરો,” પીએમ મોદીએ ડેસ્ટિનેશન વેડિંગ્સ અંગે ખાસ અપીલ કરી, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેસ્ટિનેશન વેડિંગને લઈ દેશવાસીઓને અપીલ કરી છે કે, દેશમાં લગ્ન કરો. તેમણે કહ્યું કે, વિદેશમાં લગ્ન કરવાના ચલણથી દેશનો મોટાભાગના પૈસા બહાર જઈ રહ્યો છે.

Breaking News :  વિદેશમાં નહીં, દેશમાં લગ્ન કરો, પીએમ મોદીએ ડેસ્ટિનેશન વેડિંગ્સ અંગે ખાસ અપીલ કરી, જાણો શું કહ્યું
| Updated on: May 12, 2026 | 8:19 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ ન કરવાના બદલે ભારતમાં જ લગ્ન કરવાની અપીલ કરી છે. મિડિલ ઈર્સ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આહ્વાન વિદેશી મુદ્રાના બચાવ અને ઘરેલું અર્થવ્યવસ્થાને મજબુતી આપવાના ઈરાદાથી કર્યું છે.

વડોદરામાં એક સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશના પ્રવાસો અને લગ્ન પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, વિદેશમાં લગ્ન કરવાનું ચલણથી દેશની વિદેશી મુદ્રાનો મોટોભાગ બહાર જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, પરિવારના લોકો ભારતમાં જ રજાઓ પસાર કરે,

વિદેશમાં લગ્ન,શું ભારતમાં આવી કોઈ જગ્યા નથી?

વડાપ્રધાને કહ્યું રજાઓ શરુ થતાં જ બાળકોને વિદેશ જવાની ટિકિટ આપી દે છે. આજકાલ વિદેશના પ્રવાસનું ચલણ ખુબ વધી ગયું છે. હંમેશા ડેસ્ટિનેશન વેડિંગ માટે, શું તમે કહો ભારતમાં એવી કોઈ જગ્યા નથી. જ્યાં આપણે રજાઓ પસાર કરી શકીએ. જ્યાં આપણે આપણા બાળકોને આપણા ઈતિહાસ વિશે શીખવાડી શકીએ. જ્યાં અમે આપણા સ્થાનિક સ્થળો પર ગર્વ કરી શકીએ?

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતમાં આયોજિત લગ્નનું સાંસ્કૃતિક અને ભાવનાત્મક મહત્વ હોય છે. તેમણે કહ્યું જ્યારે ભારતમાં લગ્ન આયોજિત કરવામાં આવે છે. તો આપણા પૂર્વજોની ઘૂળ આપણે આશીર્વાદ આપે છે. તેમણે આગળ કહ્યું કે, ભારતમાં લગ્નને લઈ અનેક સ્થળો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગ્ન સ્થળ બનાવવાનું સૂચન

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગ્ન સ્થળ તરીકે પ્રસ્તાવિત કરતા, પીએમ મોદીએ સૂચન કર્યું કે ત્યાં લગ્ન માટે સમર્પિત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવે. સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “હવે તમારે તમારા લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરવાનું નક્કી કરવું જોઈએ. તમે ત્યાં જે પણ લગ્ન કરશો, તેમાં સરદાર સાહેબ પોતે તમારા પર ભરપૂર આશીર્વાદ વરસાવવા માટે હાજર રહેશે.

પાંચ દેશોનો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર  મોદી આગામી શુક્રવારથી પાંચ દેશોના પ્રવાસ પર નીકળવાના છે. રિપોર્ટ અનુસાર, આ છ દિવસીય પ્રવાસમાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલી જશે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">