Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવતીકાલે અમદાવાદનો સ્થાપના દિવસ, એલિસ બ્રિજના પૂર્વ છેડે શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જાણો શહેરનો ઇતિહાસ

નવા શહેરના નિર્માણકાર્યમાં પ્રથમ બાદશાહે કિલ્લાની દીવાલ ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહેનતે ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલ, રાત પડતા જ ક્કડભૂસ થઈ જતી. એમ કહેવાતું કે જયારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગુંથતા તો કિલ્લાની દિવાલ ઉભી થઈ જતી અને રાત્રે તેમાંથી જેવો દોરો ખેંચી લેતા કે દિવાલ ઢળી પડતી.

આવતીકાલે અમદાવાદનો સ્થાપના દિવસ, એલિસ બ્રિજના પૂર્વ છેડે શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જાણો શહેરનો ઇતિહાસ
Ahmedabad's Ellisbridge (File Image)
Follow Us:
Raajoo Megha
| Edited By: | Updated on: Feb 25, 2022 | 10:00 AM

સાબરમતી નદી (Sabarmati river)ના કિનારે વસેલુ અમદાવાદ(Ahmedabad) શહેર આજે વિકાસનો પર્યાય બનતુ જઇ રહ્યુ છે. જો કે અમદાવાદની સ્થાપનાથી તેના વિકાસવંતુ બનવા પાછળ લાંબો ઇતિહાસ છે.અમદાવાદ શહેરને જ્યારે વસાવવામાં આવ્યું અને તેનો સૌપ્રથમ પાયો હાલના એલિસબ્રિજ (Ellisbridge)ના કિનારે નાખવામાં આવ્યો હતો. 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઇ હતી.

ચાર અહેમદ અને ગુરુ માણેકનાથજી સાથે અહેમદ શાહે શહેરના કિલ્લાની દિવાલોનું નિર્માણ શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. જયાંથી કિલ્લાની દિવાલને ચણવાની શરૂઆત કરવામાં આવી, તે બુરજને દૂરદર્શી સંત માણેકનાથજીની કાયમી સ્મૃતિ તરીકે “માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું. સુલતાન અહેમદશાહની ઈચ્છા હતી કે જે લોકોએ ક્યારેય પણ બપોરની નમાજ ન છોડી હોય તેવા લોકોને હાથે અહમદાબાદની સ્થાપના કરાવવી, જે કારણસર ચાર લોકોએ અમદાવાદની સ્થાપના કરી અને હાલમાં એલિસ બ્રિજ ના પૂર્વ છેડે જ્યાં માણેક બુરજ છે ત્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ અને ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો

નવા શહેરના નિર્માણકાર્યમાં પ્રથમ બાદશાહે કિલ્લાની દીવાલ ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહેનતે ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલ, રાત પડતા જ ક્કડભૂસ થઈ જતી. એમ કહેવાતું કે જયારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગુંથતા તો કિલ્લાની દિવાલ ઉભી થઈ જતી અને રાત્રે તેમાંથી જેવો દોરો ખેંચી લેતા કે દિવાલ ઢળી પડતી. આ ઘટનાનાં થોડા દિવસો બાદ બાદશાહે સરખેજ સ્થિત એક સુફી સંતની સલાહ માગી. સૂફી સંતે બાદશાહને ગુરુ માણેકનાથજીનાં આશીર્વાદની અનિવાર્યતા સૂચવી.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

બાદશાહે સંપૂર્ણ આદરભાવ સાથે માણેકનાથજીનાં આશિષ પ્રાપ્ત કર્યા અને તેમણે શહેરનાં નિર્માણકાર્યમાં દિશાસૂચક થવા વિનંતી કરી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી કે “તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો. પરંતુ, ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાથી આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકે નહી.” આમ, માણેકનાથજીના જ સૂચનો મુજબ મોહમ્મદ ખટ્ટે શહેરનાં નકશાનું પુનઃનિર્માણ કર્યું.

આજે 600વર્ષ પછી પણ કેટલાય શ્રદ્ધાળુઓનું દ્રઢપણે માનવું છે કે બૂરજને થતી સામાન્ય ક્ષતી પણ શહેરમાં અનહોની અને હોનારતો નોતરી શકે છે. એલિસબ્રીજનાં નવનિર્માણ સમયે બૂરજનાં અમુક ભાગને તોડી પાડવામાં આવ્યો હતો અને પછી તરત જ અમદાવાદ, માનવસર્જિત અકસ્માતો અને પૂર, રમખાણ, મહારોગ, ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં સપડાઈ ગયું. ત્યાં સુધી કે જ્યાં સુધી આ બૂરજનું ઐતિહાસિક મહત્વ અને ધાર્મિક માહત્મય અમદાવાદ દ્વારા ફરી શોધવામાં ના આવ્યું.

આ પણ વાંચો-

Ahmedabad: ફરજીયાત ઓફલાઇન શિક્ષણ સામે હોસ્ટેલ્સ માટે કોઇ SOP જાહેર નહીં, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો-

Gir somnath: ગીરની પ્રખ્યાત કેસર કેરીનો પાક વીમામાં થઇ શકે સમાવેશ, ખેડૂતોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવાની સી.આર. પાટિલે આપી ખાતરી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">