AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવતીકાલે અમદાવાદનો સ્થાપના દિવસ, એલિસ બ્રિજના પૂર્વ છેડે શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જાણો શહેરનો ઇતિહાસ

નવા શહેરના નિર્માણકાર્યમાં પ્રથમ બાદશાહે કિલ્લાની દીવાલ ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહેનતે ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલ, રાત પડતા જ ક્કડભૂસ થઈ જતી. એમ કહેવાતું કે જયારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગુંથતા તો કિલ્લાની દિવાલ ઉભી થઈ જતી અને રાત્રે તેમાંથી જેવો દોરો ખેંચી લેતા કે દિવાલ ઢળી પડતી.

આવતીકાલે અમદાવાદનો સ્થાપના દિવસ, એલિસ બ્રિજના પૂર્વ છેડે શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જાણો શહેરનો ઇતિહાસ
Ahmedabad's Ellisbridge (File Image)
Raajoo Megha
| Edited By: | Updated on: Feb 25, 2022 | 10:00 AM
Share

સાબરમતી નદી (Sabarmati river)ના કિનારે વસેલુ અમદાવાદ(Ahmedabad) શહેર આજે વિકાસનો પર્યાય બનતુ જઇ રહ્યુ છે. જો કે અમદાવાદની સ્થાપનાથી તેના વિકાસવંતુ બનવા પાછળ લાંબો ઇતિહાસ છે.અમદાવાદ શહેરને જ્યારે વસાવવામાં આવ્યું અને તેનો સૌપ્રથમ પાયો હાલના એલિસબ્રિજ (Ellisbridge)ના કિનારે નાખવામાં આવ્યો હતો. 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઇ હતી.

ચાર અહેમદ અને ગુરુ માણેકનાથજી સાથે અહેમદ શાહે શહેરના કિલ્લાની દિવાલોનું નિર્માણ શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. જયાંથી કિલ્લાની દિવાલને ચણવાની શરૂઆત કરવામાં આવી, તે બુરજને દૂરદર્શી સંત માણેકનાથજીની કાયમી સ્મૃતિ તરીકે “માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું. સુલતાન અહેમદશાહની ઈચ્છા હતી કે જે લોકોએ ક્યારેય પણ બપોરની નમાજ ન છોડી હોય તેવા લોકોને હાથે અહમદાબાદની સ્થાપના કરાવવી, જે કારણસર ચાર લોકોએ અમદાવાદની સ્થાપના કરી અને હાલમાં એલિસ બ્રિજ ના પૂર્વ છેડે જ્યાં માણેક બુરજ છે ત્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ અને ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો

નવા શહેરના નિર્માણકાર્યમાં પ્રથમ બાદશાહે કિલ્લાની દીવાલ ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહેનતે ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલ, રાત પડતા જ ક્કડભૂસ થઈ જતી. એમ કહેવાતું કે જયારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગુંથતા તો કિલ્લાની દિવાલ ઉભી થઈ જતી અને રાત્રે તેમાંથી જેવો દોરો ખેંચી લેતા કે દિવાલ ઢળી પડતી. આ ઘટનાનાં થોડા દિવસો બાદ બાદશાહે સરખેજ સ્થિત એક સુફી સંતની સલાહ માગી. સૂફી સંતે બાદશાહને ગુરુ માણેકનાથજીનાં આશીર્વાદની અનિવાર્યતા સૂચવી.

બાદશાહે સંપૂર્ણ આદરભાવ સાથે માણેકનાથજીનાં આશિષ પ્રાપ્ત કર્યા અને તેમણે શહેરનાં નિર્માણકાર્યમાં દિશાસૂચક થવા વિનંતી કરી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી કે “તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો. પરંતુ, ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાથી આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકે નહી.” આમ, માણેકનાથજીના જ સૂચનો મુજબ મોહમ્મદ ખટ્ટે શહેરનાં નકશાનું પુનઃનિર્માણ કર્યું.

આજે 600વર્ષ પછી પણ કેટલાય શ્રદ્ધાળુઓનું દ્રઢપણે માનવું છે કે બૂરજને થતી સામાન્ય ક્ષતી પણ શહેરમાં અનહોની અને હોનારતો નોતરી શકે છે. એલિસબ્રીજનાં નવનિર્માણ સમયે બૂરજનાં અમુક ભાગને તોડી પાડવામાં આવ્યો હતો અને પછી તરત જ અમદાવાદ, માનવસર્જિત અકસ્માતો અને પૂર, રમખાણ, મહારોગ, ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં સપડાઈ ગયું. ત્યાં સુધી કે જ્યાં સુધી આ બૂરજનું ઐતિહાસિક મહત્વ અને ધાર્મિક માહત્મય અમદાવાદ દ્વારા ફરી શોધવામાં ના આવ્યું.

આ પણ વાંચો-

Ahmedabad: ફરજીયાત ઓફલાઇન શિક્ષણ સામે હોસ્ટેલ્સ માટે કોઇ SOP જાહેર નહીં, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો-

Gir somnath: ગીરની પ્રખ્યાત કેસર કેરીનો પાક વીમામાં થઇ શકે સમાવેશ, ખેડૂતોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવાની સી.આર. પાટિલે આપી ખાતરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">