Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમદાવાદના ઔડામાં આવતા એસપી રિંગરોડ સહિત શહેરના અનેક રોડની હાલત બિસ્માર, જુઓ Video

અમદાવાદના રસ્તાઓ પર વરસાદના કારણે ખાડા પડવા તે કોઈ મોટી વાત નથી. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ખાડા પડવાને કારણે અકસ્માત સર્જાય છે અને તેને કારણે વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

Ahmedabad : અમદાવાદના ઔડામાં આવતા એસપી રિંગરોડ સહિત શહેરના અનેક રોડની હાલત બિસ્માર, જુઓ Video
Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 31, 2023 | 4:17 PM

Ahmedabad : અમદાવાદના રસ્તાઓ પર વરસાદના કારણે ખાડા પડવા તે કોઈ મોટી વાત નથી. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ખાડા પડવાને કારણે અકસ્માત સર્જાય છે અને તેને કારણે વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આટલું થયા પછી પણ જો તંત્ર તરફથી રસ્તા પર પડેલા ખાડા અંગે ગંભીરતાપૂર્વક વિચારવામાં ન આવે તો તે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : Ahmedabad: શક્તિસિંહ ગોહિલે આપ્યા સ્પષ્ટ સંકેત, કોંગ્રેસમાં કામ નહીં કરનારાને બતાવાશે બહારનો રસ્તો

અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર ખાડા સામ્રાજ્ય છે જ, સાથે અમદાવાદમાંથી પસાર થતા હાઈવેની પણ હાલત ખસ્તા થઈ છે. અમે વાત કરી રહ્યા છીએ ઔડામાં આવતા એસપી રિંગરોડની, વસ્ત્રાલ, અસલાલી અને રિંગરોડ પર રસ્તાની હાલત એટલી ખરાબ છે કે તેને હાઈવે કહેવો કે નહીં તે પણ પ્રશ્ન છે.

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

આ તરફ રોપડાથી હાથીજણ વચ્ચેના રસ્તા પર આવેલા રેલવે ઓવરબ્રિજ પર પણ મસમોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર પડેલા ખાડા એક માત્ર સમસ્યા નથી. આ હાઈવે પર લગાવવામાં આવેલી અમુક લાઈટ્સ બંધ હાલતમાં છે. તો અમુક લાઈટ્સ જ ગાયબ છે. એક તરફ રસ્તા પર ખાડા અને બીજી તરફ રાત્રીના અંધારામાં ખાડાવાળા રોડ પરથી પસાર થવું વાહનચાલકો માટે મુસીબત બની ગઈ છે.

જોધપુર વોર્ડમાં ખાડારાજ !

તો આ તરફ અમદાવાદના જોધપુર વિસ્તારમાં પણ મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને લોકોને સારા રોડ આપવાની જગ્યાએ રોડ રિપેરીંગના નામે થીગડા કૌભાંડ આચર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદના જોધપુર વોર્ડમાં કોન્ટ્રાકટરે રોડ બનાવવામાં મસમોટું કૌભાંડ આચરતા લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

એક જ રોડના ખાડા પૂરવામાં કોન્ટ્રાકટર દર વર્ષે લાખોના બિલ મુકે છે. અને ખાડા પૂરવામાં આવતા નથી. અમુક જગ્યાના ખાડા પૂરવામાં આવતા વાહન ચાલકોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર વર્ષે માત્ર ખાડા રિપેરીંગ થાય છે. અને નવા રોડ બનતા જ નથી. રોડ પર થીગડા મારવામાં આવતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવામાં આવે તેવી સ્થાનિકોએ નઘરોળ તંત્રને માગ કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">