AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ કલેક્ટર  સમક્ષ કરી ઈચ્છા મૃત્યુના માગ- જુઓ  Video

સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ કલેક્ટર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુના માગ- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 7:39 PM
Share

સુરેન્દ્રનગરના નટવરગઢના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માગ કરી છે. ખેતરમાં ખોદકામ કરી વચ્ચોવચ્ચ સોલાર વીજ નાખ્યાના 3 વર્ષ બાદ પણ વળતર ન મળતા ખેડૂતો નારાજ ચાલી રહ્યા છે અને ભારે નુકસાન ગયુ હોવાથી હવે ખેડૂતો ઈચ્છામૃત્યુની માગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં નટવરગઢના ખેડૂતોનો હવે સરકાર સામે રોષ ભભુકી ઉઠ્યો છે. ખેતરમાં નેખાલા સોલાર વીજ લાઈનનું વળતર ન મળતા ખેડૂતો નારાજ થયા છે. ખેતરમાં ખોદકામ કરી સોલર વીજલાઈન નાખ્યાના ત્રણ વર્ષ બાદ પણ નુકસાનીના વળતરની ચુકવણી ન થઈ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોને ખેતીમાં ગયેલી નુકસાનીની ભરપાઈ પેટે સરકાર દ્વારા ચુકવવાનું થતુ વળતર ત્રણ વર્ષ બાદ ખેડૂતોને મળ્યુ નથી. આ ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે બહારની કંપનીએ તેમની જાણ બહાર ખેતરમાં ખઓદકામ કર્યુ હતુ. વીજલાઈન નાખવા માટે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા કે ના તો તેમને જાણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માગ કરી

વળતર ન મળ્યા બાદ નુકસાની વેઠી રહેલા ખેડૂતો હવે કરો યા મરોની સ્થિતિમાં આવી ગયા છે અને કામ અટકાવી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ હવે નિરાકરણ ન આવે તો ઈચ્છા મૃત્યુની માગ કરી છે.

Input Credit- Sajid Belim- Surendranagar 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">