Surat : વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ લગાવી મોતની છલાંગ, પતિએ દ્વારકા આવવાની મનાઈ કરતા પગલુ ભર્યુ

અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.

Surat : વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ લગાવી મોતની છલાંગ, પતિએ દ્વારકા આવવાની મનાઈ કરતા પગલુ ભર્યુ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 26, 2023 | 10:14 AM

સુરતમાં (Surat) અઠવાડિયા પહેલા ઓપનિંગ કરાયેલા વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ (Suicide) લગાવી હતી. ડભોલી પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. તેમની પત્ની અંજલી(41) મોપેડ લઈ ડભોલી વરીયાવ બ્રિજ પર પહોંચી હતી અને મોપેડ સાઈડમાં પાર્ક કરી બ્રિજ પર લગાવેલી જાળીની વચ્ચે ખાલી પડેલી જગ્યામાંથી તાપીમાં પડતું મુકી દીધું હતું. જે પછી તેનું મોત થયુ હતુ.

આ પણ વાંચો-Gujarati Video : અંબાજી નજીક તળાવમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા, તપાસ શરૂ

તાપી નદીમાં ઊંડા પાણીમાંથી મૃતદેહ મળ્યો

બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાપીના ઉંડા પાણીમાં તેમની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન અંજલીબેનનો મૃતદેહ મળી આવતા તેમને  108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પતિએ દ્વારકા આવવાની મનાઈ કરી હતી

બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે પતિ અને ભાઈ દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા. અંજલીબેનને પણ દ્વારકા દર્શન કરવા માટે જવું હતું, પરંતુ ફક્ત પુરૂષો જતા હોવાથી બળવંતભાઈએ અંજલીબેનને ના પાડી હતી અને તેમની માતાને બોલાવી તેમની સાથે પિયર જવા માટે કહ્યું હતું.

મોપેડ બ્રિજ પર મૂકી આપઘાત કરી લીધો

પતિએ દ્વારકા આવવાની મનાઇ કરતા અંજલીબેનને માઠુ લાગી આવ્યું હતું. અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. અંજલીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજના રાજપુર ગામે ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી છે. પતિ અને દિયર માર મારતા હોવાથી અને માનસિક ત્રાસ આપતા હોવાથી ધારા ગોસ્વામી નામની પરિણીતાએ ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. દીકરીના કમોતના સમાચાર સાંભળી પરિવાર ભાંગી પડ્યો છે. હાલ તો સમગ્ર મામલે પરિણીતાની માતાએ જમાઇ સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થરા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">