AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉધના અને પાંડેસરામાં આત્મ હત્યાની બે ઘટનાઓ સામે આવી, તપાસ શરૂ

પૂજાબેનના પિતા શેરબહાદુર શાકભાજીનો ધંધો કરે છે. પૂજાબેને પિતા શેરબહાદુરની શાકભાજીની લારી તૈયાર કરી હતી. ત્યારબાદ નાના ભાઈ- બહેનને જમાડી બહાર મોકલ્યા બાદ ફાંસો ખાઈ લીધો હતો. પુજાબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી

Surat : ઉધના અને પાંડેસરામાં આત્મ હત્યાની બે ઘટનાઓ સામે આવી, તપાસ શરૂ
Surat Suicide
Baldev Suthar
| Edited By: | Updated on: May 24, 2023 | 8:49 AM
Share

સુરતમાં(Surat)બે તરૂણીના આપધાતના(Suicide) બનાવમાં ઉધનામાં કોઇ કારણસર ધો.10ની વિધાર્થીની અને પાંડેસરામાં 16 વર્ષીય તરૂણીએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી હતી. જ્યારે પાંડેસરામાં ગીતાનગરમાં રહેતી 16 વર્ષીય પુજા શેરબહાદુર ગૌડે ઘરમાં અગમ્ય કારણસર એંગલ સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાધો હતો.  ત્યારે તેના પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ આદરી છે.

પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો

પૂજાબેનના પિતા શેરબહાદુર શાકભાજીનો ધંધો કરે છે. પૂજાબેને પિતા શેરબહાદુરની શાકભાજીની લારી તૈયાર કરી હતી. ત્યારબાદ નાના ભાઈ- બહેનને જમાડી બહાર મોકલ્યા બાદ ફાંસો ખાઈ લીધો હતો. પુજાબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી એમ પરિવારના સભ્યોએ કહ્યું હતું.પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો.

ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધનામાં હરીનગરમાં રહેતી 16 વર્ષીય અંજલી વિનોદ ગુપ્તાએ ઘરમાં કોઇ કારણસર પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. ત્યારે તેના પિતાની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે અંજલી મુળ ઉતરપ્રદેશના જોનપુરની વતની હતી. તે પાંડેસરાની શાળામાં ધો. 9માં પાસ થતા ધો.10માં ભણતી હતી. તેની એક બહેન અને એક ભાઇ છે. તેના પિતા મજુરી કામ કરે છે. ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">