Surat : ઘરકંકાસથી કંટાળીને માતાએ સૌથી પહેલા પુત્રને ફાંસો આપ્યો, અને પછી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર
છેલ્લા લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ઘરને લઈને લાંબા સમયથી ઘર કંકાસ ચાલતો હતો. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર નજીવી બાબતોને લઈને ઝઘડા થતા હતા.
શહેરના (Surat )વેડ રોડ વિસ્તારમાં એક માતાએ(Mother ) પોતાના બાળકને (Child )ગળે ફાંસો આપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ નાના દીકરાની હત્યા કરી માતાએ આપઘાત કરી લીધા હોવાની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે, સુરતમાં એક હિચકારી ભરી ઘટના સામે આવી છે. જ્યાં માતાએ પોતાના પાંચ વર્ષના દીકરાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.
સુરતના વેડ રોડ વિસ્તારના અખંડ આનંદ કોલેજ પાસે આવેલી શિવ છાયા સોસાયટીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ ઝાંઝમેરા રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. રાકેશના લગ્ન 11 વર્ષ પહેલા જ યોગીતા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન યોગીતાને બે બાળકો હતા.
ઘરકંકાસથી કંટાળીને ભર્યું આત્યંતિક પગલું :
જોકે, છેલ્લા લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ઘરને લઈને લાંબા સમયથી ઘર કંકાસ ચાલતો હતો. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર નજીવી બાબતોને લઈને ઝઘડા થતા હતા. જેને લઈને ગુસ્સામાં આવેલી પત્નીએ સૌથી પહેલા પોતાના નાના પાંચ વર્ષના દીકરા દેવાંગને ગળે ફાંસો આપી તેની હત્યા કરી દીધી હતી. અને તે બાદ યોગીતાએ પણ આપઘાત કરી લીધો હતો.
માતા પુત્રની આ ઘટનાને લઈને આખા વિસ્તારમાં ચર્ચા સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ પરિવારને સૌથી પહેલા થઇ હતી અને તેઓએ તાત્કાલિક ચોક બજાર પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને પુત્ર અને માતાનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
તેમજ માતા ઉપર દીકરાની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઘર કંકાસને લઈને પરિણીતાએ કરેલી આ ઘટનાને લઈને આખો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.