Surat: શુક્રવારે યોજાનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષ ભાગ લેશે કે કેમ તે અંગે સસ્પેન્સ

આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં (General Board) ભાગ લેવા અંગે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હજી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Surat: શુક્રવારે યોજાનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષ ભાગ લેશે કે કેમ તે અંગે સસ્પેન્સ
SMC General Board (File Image )
Follow Us:
| Updated on: Aug 25, 2022 | 5:48 PM

સુરત મહાનગર પાલિકાની(SMC) સામાન્ય સભા વધુ એક વખત હંગામેદાર બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જો કે, આ વખતે વિરોધ પક્ષ મેયર (Mayor) હેમાલી બોઘાવાલા દ્વારા લેવામાં આવેલા સસ્પેન્શનના નિર્ણયને મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં લઠ્ઠાકાંડને મુદ્દે ભારે હોબાળા વચ્ચે મેયર હેમાલી બોઘાવાલા દ્વારા વિરોધ પક્ષના તમામ સભ્યોને બે સામાન્ય સભા માટે સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો હતો. અલબત્ત, કાયદાની આંટી – ઘુંટીને પગલે હવે આવતીકાલે યોજાનાર સામાન્ય સભામાં વિરોધ પક્ષની હાજરીનો રસ્તો સાફ થઈ ચુક્યો છે.

જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ગત સામાન્ય સભામાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. એક તબક્કે શાસકો અને વિરોધ પક્ષના સભ્યો સામ સામે આવી ગયા હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરૂદ્ધ ટિપ્પણી કરનાર આપના કોર્પોરેટર મહેશ અણધડને તો ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મુગલીસરામાંથી બહાર કાઢવાની સ્થિતિ ઉદ્ભવી હતી.

આ સમગ્ર પ્રકરણ દરમ્યાન ક્રોધે ભરાયેલા મેયર હેમાલી બોઘાવાલા દ્વારા શરૂઆતમાં વિરોધ પક્ષના તમામ સભ્યોને પાંચ સભા માટે સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવ્યો હતો. જો કે, બાદમાં તેઓ દ્વારા ફેરવી તોળતા માત્ર બે સામાન્ય સભા માટે વિરોધ પક્ષને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમ્યાન સામાન્ય સભાની કાર્યવાહી દરમ્યાન ડાયસને બદલે બહારથી રૂલિંગનો આદેશ ફરમાવવામાં આવતાં મેયર દ્વારા સસ્પેન્શનના આદેશ ફોક થઈ ગયો છે અને જેને પગલે હવે આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યો વટભેર ભાગ લઈ શકે તેમ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વિરોધ પક્ષના સભ્યો સામાન્ય સભામાં ભાગ લઈ શકે છેઃ મેયર

વિરોધ પક્ષના નેતાઓને પહેલા પાંચ અને ત્યારબાદ બે સામાન્ય સભા માટે સસ્પેન્ડ કરવાના આદેશ થકી વિવાદમાં આવેલા મેયર હેમાલી બોઘાવાલાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ પક્ષને પણ પોતાની વાત રજુ કરવાનો અવસર મળવો જોઈએ. જેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તેઓએ વધુમાં કહ્યું હતું કે બહારથી રૂલિંગ આપવામાં આવતાં સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આ માન્ય ન હોવાને કારણે પણ વિરોધ પક્ષના સસ્પેન્શનનો આદેશ રદ્દ કરવામાં આવ્યો છે.

સામાન્ય સભામાં ભાગ લેવો કે કેમ, હજી નિર્ણય નથી લેવાયોઃ ધર્મેશ ભંડેરી

આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં ભાગ લેવા અંગે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે હજી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકશાહીના દમનના ભાગરૂપે જે રીતે શાસકો દ્વારા મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેના કારણે જ દર વખતે સામાન્ય સભામાં હોબાળો થઈ રહ્યો છે. સામાન્ય સભામાં ભાગ લેવા અંગે તેઓએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના તમામ સભ્યો સાથે ચર્ચા – વિચારણા બાદ આ અંગે અંતિમ ર્નિણય લેવામાં આવશે.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">