AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દશામા પર્વનો આજથી પ્રારંભ, મૂર્તિ વિસર્જન માટે SMC પાંચ કૃત્રિમ તળાવ બનાવશે

તાપી(Tapi ) નદીમાં મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ પાંચ ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવો બનાવવાનું નક્કી કર્યું છે.

Surat : દશામા પર્વનો આજથી પ્રારંભ, મૂર્તિ વિસર્જન માટે SMC પાંચ કૃત્રિમ તળાવ બનાવશે
Dashama Idols (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 12:59 PM
Share

દશામાની(Dashama ) ઉત્સવ આજથી શરૂ થયો છે. આ પર્વની ધામધૂમપૂર્વક સુરતમાં ઉજવણી(Celebration ) કરવામાં આવે છે. હજારો લોકો દ્વારા દશામાની પ્રતિમાની(Idols ) સ્થાપના કરવામાં આવે છે. અને દશામાની આરાધના કર્યા બાદ  ઉત્સાહભેર દશામાની પ્રતિમાનું વિસર્જન પ્રતિમાં, પુજાપા સહીતની માતાજીને વિદાય આપવામાં આવે છે. જેના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.  જેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

તાપી નદીને પ્રદુષિત થતી અટકાવવવા માટે વિવિધ દેવી અને દેવતાઓની આરાધના કર્યા બાદ પૂજાપા સહિતની સામગ્રીઓ હવે તાપીમાં વિસર્જિત કરવા પર પ્રતિબંધિત છે. સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ બાદ દશામાની પ્રતિમા સૌથી વધારે પ્રસ્થાપિત કરવામાં આવે છે. 10 દિવસ સુધી માતાજીની પૂજા કર્યા બાદ ઉત્સાહભેર માતાજીને વિદાય આપવામાં આવે છે. અને પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઈ તહેવાર ઉજવાઈ શક્યો નથી. દશામા અને ગણપતિ મહોત્સવની ઉજવણી પણ કોરોનાના કારણે ફિક્કી રહી હતી. જોકે આ વર્ષે નિયમોનો કોઈ બાંધી નહીં હોવાના કારણે ભક્તોમાં તહેવારોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજથી દશામા ઉત્સવની શરૂઆત થઇ છે. મૂર્તિકારોને પણ આ વખતે છેલ્લા બે વર્ષ કરતા સારા ઓર્ડર મળ્યા હતા. તાપી નદીમાં મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ પાંચ ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવો બનાવવાનું નક્કી કર્યું છે.

આ સ્થળે દશામાના વિસર્જન માટે તળાવો બનાવવામાં આવનાર છે :

સેન્ટ્રલ ઝોનમાં ડક્કા ઓવારા પાસે, રાંદેર ઝોનમાં રામજી મંદિર ઓવારા પાસે. કતારગામ ઝોનમાં લંકાવિજય ઓવારા પાસે, વરાછામાં વી.ટી.સર્કલ પાસે તેમજ અઠવા ઝોનમાં ડુમસ કાંદી ફળીયા પાસે કૃત્રિમ તળાવા આવનારા દિવસોમાં બનાવવાનું શરૂ કરવામાં આવનાર છે. જેથી લોકોએ પણ આ ઓવારા પર જ માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા જણાવવામાં આવ્યું છે. મોડી રાત્રે આ તમામ પ્રતિમાઓનું વિસર્જન કોર્પોરેશન દ્વારા દરિયામાં કરવામાં આવે છે.

Follow Us
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
g clip-path="url(#clip0_868_265)">