Surat: ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુમુલ ડેરી રોડ અને અશ્વિનીકુમાર રોડ વચ્ચે નવું રેલવે ગરનાળું બનાવવા સૂચન

ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુરતના અશ્વનીકુમાર અને સુમુલ ડેરી રોડ વચ્ચે નવું રેલવે ગરનાળું બનાવવા માટે સ્થાયી સમિતિના સભ્ય દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

Surat: ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુમુલ ડેરી રોડ અને અશ્વિનીકુમાર રોડ વચ્ચે નવું રેલવે ગરનાળું બનાવવા સૂચન
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 6:09 PM

સુરત (Surat)ના વરાછા રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની ભારે વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુરતના અશ્વિનીકુમાર અને સુમુલ ડેરી રોડ વચ્ચે નવું રેલવે ગરનાળું બનાવવા માટે સ્થાયી સમિતિના સભ્ય દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. અહીં રોજના 25 હજાર કરતા વધારે ટુ વ્હીલર અને 400થી વધુ દૂધના કન્ટેનરની અવરજવર રહેતી હોય છે. જેથી પીક અવર્સમાં વરાછા રેલવે ગરનાળા પર ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે.

તેવામાં સ્થાયી સમિતિના સભ્ય દ્વારા મહાનગરપાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને ટ્રાફિકની આ સમસ્યાના નિરાકરણ માટે નવા રેલવે ગરનાળાની ફિઝિબિલિટી ચકાસવા માટે સૂચન કર્યું છે. વરાછા રેલવે ગરનાળા પર ટપકતા ગંદા પાણીની સમસ્યા આમ પણ મોટો પ્રશ્ન છે. આ સમસ્યા નિવારવા માટે પાલિકાએ રેલવે વિભાગ પાસે લીઝ પર જગ્યા લીધી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મહાનગરપાલિકા દ્વારા અસંખ્ય પ્રયત્નો કરવા છતાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા જેમની તેમ છે. જો કે તેને નિવારવાના ભાગરૂપે અશ્વિનીકુમાર રોડ અને સુમુલ ડેરી રોડ વચ્ચે વધુ એક રેલવે ગરનાળું બની શકે કે કેમ તેની શક્યતા ચકાસવી જોઈએ અને જો ફિઝિબિલિટી શક્ય હોય તો રેલવે સમક્ષ આ અંગે પ્રપોઝલ મુકવી જોઈએ.

કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી સુરતના હોવાથી સુરતની સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ છે અને જો તે ટેક્નિકલી સંભવ હોય તો રેલવે વિભાગ આ દિશામાં મહાનગપાલિકાને સકારાત્મક નિર્દેશ આપી શકે છે. સુરતના વરાછા વિસ્તારમાં જવું હોય કે પછી વરાછા વિસ્તારમાંથી સુરત તરફ આવવું હોય તો પીક અવર્સ દરમ્યાન લોકોને ભયંકર ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને સવારે અને સાંજના સમય દરમ્યાન ટ્રાફિક કલાકો સુધી જામ રહેતો હોય છે. જેથી જો અહીં રેલવે ગરનાળું બનાવવામાં આવે તો ટ્રાફિકની આ સમસ્યાનું નિરાકરણ થાય તેમ હોય આ દિશામાં શક્ય કામગીરી કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. જેથી અહીં રોજિંદી અવરજવર કરતા લોકોને ટ્રાફિકજામની કાયમી સમસ્યામાંથી છુટકારો મળી શકે.

આ પણ વાંચો : Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત

આ પણ વાંચો: Surat : શહેરમાં પ્લાસ્ટિકનો કચરો વીણતાં રેગ પીકર્સને તાલીમ આપવામાં આવશે

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">