AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત

નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાથી સાજી થઇ છે. સારવાર દરમ્યાન તે લગભંગ 3 મહિના સુધી બાયપેપ વેન્ટિલેટર પર હતી અને લગબગ 100 ટકા ફેફસામાં તેને ચેપ ફેલાઈ ગયો હતો

Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત
Surat: The country's first case: Varachha woman beats Corona after five months of treatment
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 11:58 AM
Share

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોના મુક્ત થઇ છે. કોરોનાની બીજી લહેરમાં વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાને 25 માર્ચના રોજ કોરોના થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાથી સાજી થઇ છે. સારવાર દરમ્યાન તે લગભંગ 3 મહિના સુધી બાયપેપ વેન્ટિલેટર પર હતી અને લગબગ 100 ટકા ફેફસામાં તેને ચેપ ફેલાઈ ગયો હતો. તેમ છતાં ડોક્ટરોની ટીમે હાર માની ન હતી. અને 30 ઓગસ્ટના રોજ આ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીનો પાંચ મહિનાની સારવાર બાદ સ્વસ્થ થવાનો આ પહેલો કેસ છે.

સિવિલના તબીબોના જણાવ્યા અનુસાર વરાછામાં રહેતી 35 વર્ષીય મહિલાને 25 માર્ચે તાવ,ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સબંધીઓ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના શરીરમાં ઓક્સીજનનું સ્તર પણ 85 ટકા પર આવી ગયું હતું. ડોક્ટરોએ તેમને ઓક્સિજન સપોર્ટ પર દાખલ કર્યા હતા. જ્યાં તેમની હાલત વધુ ખરાબ થતી ગઈ હતી.

શ્વાસની તકલીફને કારણે તેમને બાયપેપ વેન્ટિલેટર પરથી ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે પછી પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો. આ મહિલાને તેનો પરિવાર 27 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. અહીં દક્ષિણ ગુજરાતમાં કોરોના નોડેલ ઓફિસર અને સિવિલના મેડિસિન વિભાગના વડા અશ્વિન વસાવાએ તેમની સારવાર શરૂ કરી હતી.

સિવિલમાં મહિલાની હાલત અત્યંત ગંભીર હતી. સબંધીઓને કહ્યું હતું કે દર્દીની સ્થિતિ સારી નથી. 90 થી 95 ટકા ચેપ મહિલાના ફેફસામાં ફેલાઈ ગયો છે. સિટીની તીવ્રતાનો સ્કોર 25/25 નો હતો. ખાનગી હોસ્પિટલમાં બે મહિનાની સારવાર બાદ ફરી કોરોના આરટીપીસીઆર કરવામાં આવ્યો હતો. જેમાં ફરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહિલાને વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવી હતી.સારવારમાં તેમને સ્ટેરોઇડ્સ,એલએમડબ્લ્યુએચ સહિતની અન્ય સહાયક દવાઓ આપવામાં આવી હતી. ધીરે ધીરે મહિલાની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો.અને તેની સારવાર વેન્ટિલેટરથી બાયપેપ પર અને હવે બાદમાં ઓક્સિજન પર ખસેડવામાં આવી હતી.

હવે તેમની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગઈ છે. અને ઓક્સિજનનો અઢાર ખેંચાયા બાદ તેમને 30 ઓગસ્ટના રોજ આપવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: ભાજપના 70 કોર્પોરેટર સોશ્યલ મિડિયા પર ઠોઠ નિશાળિયા, ફક્ત 23 કોર્પોરેટર જ પાસ

Surat Ganesh Utsav : શ્રીજીના આગમનની તૈયારીઓ શરૂ, શણગાર માટે ગણેશ ભક્તો કરી રહ્યા છે 1 લાખ સુધીનો ખર્ચો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">