Surat : ધાર્મિક પ્રતિમાઓનું વિર્સજન ઘર આંગણે જ કરવા અંગે પાલિકા પ્રચાર અભિયાન શરૂ કરશે

દશામા કે ગણપતિ વિસર્જન દરમ્યાન કોરોનાનું સંક્ર્મણ વધુ ન વકરે તે માટે પાલિકા ચાલુ વર્ષે પણ કૃત્રિમ તળાવ નહીં બનાવે અને લોકોને ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે પ્રતિમાઓનું વિસર્જન કરવા હવે મહાનગર પાલિકા પ્રચાર અભિયાન પણ શરૂ કરશે.

Surat : ધાર્મિક પ્રતિમાઓનું વિર્સજન ઘર આંગણે જ કરવા અંગે પાલિકા પ્રચાર અભિયાન શરૂ કરશે
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:13 PM

દશામા મહોત્સવ, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ બાદ પ્રતિમાઓ કુદરતી તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં વિસર્જનના પ્રતિબંધનો ચુસ્ત અમલ કરવા માટે હવે મહાનગપાલિકાએ નોંધ ઇસ્યુ કરી છે અને હવે તમામ પાલિકાના ઝોનમાં આ નોંધનો અમલ કરવા તાકીદ પણ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરની નોંધ મુજબ ઝોન વિસ્તારમાં આવેલ તમામ કુદરતી નાળા, તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં પ્રતિમાઓનું વિસર્જન ન થાય તેની ખાસ તહેદરી રાખવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન રાખવા ઝોનના કાર્યપાલક ઇજનેરને તાકીદ કરવામાં આવી છે. સાથે જ વોટર બોડીઝના સ્થળે બેરિકેટિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

બેરિકેટિંગના સ્થળોએ પ્રતિમાઓના વિસર્જનના પ્રતિબંધ અંગેના સૂચના બોર્ડ લગાવવાની પણ તાકીદ તમામ ઝોનોને કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રીના સમયે પણ પૂરતું નિરીક્ષણ થઇ રહે તે માટે ઝોન સ્તરેથી જરૂરી માત્રામાં ફ્લડલાઇટ્સની સુવિધા પણ ઉભી કરવામાં આવશે અને ઉસબોર્ન વિસર્જનના અગાઉના દિવસથી બીજા દિવસ સુધી જે તે ઝોનમાંથી જરૂરી સ્ટાફને ઝોન વાઈઝ નિમણુંકો કરવાની રહેશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

એટલું જ નહીં દશામા ઉત્સવ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ બાદ ધાર્મિક પ્રતિમાઓનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઘર આંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં કોરોનની ગાઈડલાઈનની અમલવારી સાથે કરવાની રહેશે. આ માટે દરેક નાગરિકો અને ગણેશ સ્થાપક મંડળોને જરૂરી શિક્ષણ અને માર્ગદર્શન આપવા પણ દરેક ઝોનમાં પ્રચાર અભિયાન હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે.

મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધી પાનીની આ નોંધ પરથી સ્પષ્ટ છે કે દશામા બાદ હવે ગણેશ વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જો કૃત્રિમ તળાવની વ્યયવસ્થા ઉભી કરવામાં આવે તો વિસર્જનના દિવસે લોકોની ભીડ ભેગી થવાની સંભાવના છે. જેથી આ વખતે પણ મનપા દ્વારા કૃત્રિમ તળાવ ઉભા નહીં કરવામાં આવે અને ઓવારો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

જેથી એક વાત નક્કી છે કે આ વર્ષે પણ ભક્તોએ દશામા અને ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે કરવાનું રહેશે.

આ પણ વાંચો : Surat : સુરતના જરદોશી એટલે કે ખાટલી વર્કની પરંપરા આજે પણ યથાવત

આ પણ વાંચો : Surat : સુરતના શ્રમજીવી પરિવારની આ દીકરીઓ રાખડી બનાવી થઇ પગભર

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">