Surat : સુરતના એન્ટ્રી પોઇન્ટ પર એક અઠવાડિયામાં 17 હજાર કરતા વધુ કોરોના ટેસ્ટ, એકપણ પોઝિટિવ નહીં
સુરતમાં દિવાળીની રજા બાદ કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગર પાલિકા તંત્રે સુરત બહાર ફરીને આવતા મુસાફરોનુ ચેકિંગ સઘન બનાવાયું છે. મહાનગર પાલિકા તંત્રએ છેલ્લા સાત દિવસમાં સુરતના એન્ટ્રી પોઇન્ટ, રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સત્તર હજારથી વધુ મુસાફરોના કોરોના ટેસ્ટ કર્યા છે. પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. મનપા તંત્ર એન્ટ્રી પોઈન્ટ પર સઘન ચેકિંગ કરી રહી છે,
સુરત શહેરમાં કોરોના(Corona ) ફેલાતો અટકાવવા માટે મહાનગર પાલિકા તંત્ર દ્વારા આક્રમક કામગીરી અપનાવવામાં આવી છે. જે અંતર્ગત શહેરના એન્ટ્રી પોઈન્ટ(Entry Point ) પર મુસાફરી કરીને આવતા નાગરિકો નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટિંગમાં શહેરીજનો નેગેટિવ રિપોર્ટ આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ જે નાગરિકોના ટેસ્ટીંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ,એવા કેટલાક નાગરિકો માં એક બે દિવસ બાદ પોઝિટિવ દર્દીઓ મળી આવતાં મહાનગર પાલિકા તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે.
સુરતમાં દિવાળી ની રજા બાદ કરવાના કેસમાં વધારો થતાં મહાનગર પાલિકા તંત્રે સુરત બહાર ફરીને આવતા મુસાફરોને ચેકિંગ સઘન બનાવાયું છે. મહાનગર પાલિકા તંત્રએ છેલ્લા સાત દિવસમાં સુરતના એન્ટ્રી પોઇન્ટ, રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સત્તર હજારથી વધુ મુસાફરો ના કોરોના ટેસ્ટ કર્યા છે. પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. મનપા તંત્ર એન્ટ્રી પોઈન્ટ પર સઘન ચેકિંગ કરી રહી છે, પરંતુ એન્ટ્રી પોઈન્ટ પર કોરોના ટેસ્ટિંગમાં નેગેટિવ મળી આવેલા કેટલાક લોકો બે ત્રણ દિવસ બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેવા બે ચાર કેસ આવતા મનપા તંત્રની મૂંઝવણ વધી છે.
દિવાળીની ખરીદી અને ત્યારબાદની રજામાં સુરતીઓ બિન્દાસ બનીને ફરવા ગયા તેના કારણે સુરતમાં કોરોના સંક્રમણ વધશે તેવી ભીતિ હવે સાચી પડી રહી છે, હાલમાં પોઝિટિવ આવનાર વ્યક્તિને travel history મળી આવતા મનપા તંત્ર સુરત માં આવતા મુસાફરોને ચેકિંગ સઘન કર્યું છે, મનપા તંત્રે સુરત રેલવે સ્ટેશન, સુરત એરપોર્ટ, બસ સ્ટેશન સાથે જ સુરતમાં ખાનગી વાહનો મારફતે આવતા લોકોના ટેસ્ટિંગ વધુ આક્રમક કર્યા છે.
મનપાએ છેલ્લા સાત દિવસમાં આ જગ્યાએથી 17,151 લોકોના ટેસ્ટ કર્યા છે. પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ પોઝિટિવ આવ્યો નથી, તેથી તંત્ર રાહત અનુભવતું હતું, પરંતુ તંત્ર માટે બીજી મુશ્કેલી ઊભી થઈ છે. છેલ્લા ચારેક દિવસમાં જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાંથી કેટલાક ગુજરાત બહારની ટ્રાવેલ્સ ધરાવે છે. તેઓના એન્ટ્રી પોઈન્ટ પર કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે નેગેટિવ આવ્યા હતા. જોકે ત્યારબાદ એક બે દિવસ પછી તેઓમાં લક્ષણો દેખાતા તેઓ જાતે જ હેલ્થ સેન્ટર પર ચકાસણી કરવા ગયા ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ એન્ટ્રી પોઈન્ટ પર નેગેટિવ અને બે ચાર દિવસ બાદ પોઝિટિવ આવતા તંત્રની મૂંઝવણ વધી છે.
આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ
આ પણ વાંચો : ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, લારીઓ હટાવવામાં આવશે