AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે મનપા કમિશ્નરને રજુઆત

સુરતમાં ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે  મનપા કમિશ્નરને રજુઆત
Surat Suman School Demand By Minority Student
Parul Mahadik
| Edited By: | Updated on: May 07, 2022 | 5:34 PM
Share

સુરત (Surat)  મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની(Education Committee)  શાળામાં વિવિધ 8 જેટલી ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. સુરત એ ગુજરાતનું મીની ભારત કહેવાય છે. કારણ કે અહીં અલગ અલગ રાજ્ય અને પ્રાંતના લોકો આવીને વસ્યા છે. જેથી તેઓને તેમની ભાષામાં જ શિક્ષણ મળી રહે તેવા તંત્રના પ્રયાસો છે.ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 8 પછી વ્યવસ્થા ન હોવાથી મજબૂરીમાં બાળકોને અભ્યાસ છોડી દેવો પડે છે. સુરત મહાનગર પાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુમતીના બાળકો માટે ધોરણ 8 પછી સુમન શાળા(Suman School)  શરૂ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.

સુરત મનપાની સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર સુધરી રહ્યું છે. જેના કારણે ખાનગી શાળાઓમાંથી પણ હવે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જોકે સુરત મનપા દ્વારા જે વિવિધ માધ્યમની શાળાઓ ચાલી રહી છે, તેમાં સુધારો લાવીને અભ્યાસને વધુ સુગમ કરવાની માંગ ઉઠી રહી છે. સુરતમાં ચાલતી ઉર્દુ માધ્યમની શાળાઓ માટે પણ આવી જ માંગણી થઈ છે. જેમાં હવે ધોરણ 8 પછીના વર્ગો શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી રહી છે.

ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે

ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી ખુરશીદ અલી સૈયદ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી એવી રજુઆત કરવામાં આવી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સઁચાલીત કેટલીક શાળાઓમાં લઘુમતી સમાજના બાળકો કુલ્લે 30 ક્લાસમાં અભ્યાસ કરે છે.ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.જેથી સુમન શાળા શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.જેથી આ બાળકો આગળ અભ્યાસ કરી શકે. ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">