AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે મનપા કમિશ્નરને રજુઆત

સુરતમાં ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે  મનપા કમિશ્નરને રજુઆત
Surat Suman School Demand By Minority Student
Parul Mahadik
| Edited By: | Updated on: May 07, 2022 | 5:34 PM
Share

સુરત (Surat)  મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની(Education Committee)  શાળામાં વિવિધ 8 જેટલી ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. સુરત એ ગુજરાતનું મીની ભારત કહેવાય છે. કારણ કે અહીં અલગ અલગ રાજ્ય અને પ્રાંતના લોકો આવીને વસ્યા છે. જેથી તેઓને તેમની ભાષામાં જ શિક્ષણ મળી રહે તેવા તંત્રના પ્રયાસો છે.ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 8 પછી વ્યવસ્થા ન હોવાથી મજબૂરીમાં બાળકોને અભ્યાસ છોડી દેવો પડે છે. સુરત મહાનગર પાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુમતીના બાળકો માટે ધોરણ 8 પછી સુમન શાળા(Suman School)  શરૂ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.

સુરત મનપાની સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર સુધરી રહ્યું છે. જેના કારણે ખાનગી શાળાઓમાંથી પણ હવે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જોકે સુરત મનપા દ્વારા જે વિવિધ માધ્યમની શાળાઓ ચાલી રહી છે, તેમાં સુધારો લાવીને અભ્યાસને વધુ સુગમ કરવાની માંગ ઉઠી રહી છે. સુરતમાં ચાલતી ઉર્દુ માધ્યમની શાળાઓ માટે પણ આવી જ માંગણી થઈ છે. જેમાં હવે ધોરણ 8 પછીના વર્ગો શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી રહી છે.

ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે

ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી ખુરશીદ અલી સૈયદ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી એવી રજુઆત કરવામાં આવી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સઁચાલીત કેટલીક શાળાઓમાં લઘુમતી સમાજના બાળકો કુલ્લે 30 ક્લાસમાં અભ્યાસ કરે છે.ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.જેથી સુમન શાળા શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.જેથી આ બાળકો આગળ અભ્યાસ કરી શકે. ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">