AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે મનપા કમિશ્નરને રજુઆત

સુરતમાં ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે  મનપા કમિશ્નરને રજુઆત
Surat Suman School Demand By Minority Student
Parul Mahadik
| Edited By: | Updated on: May 07, 2022 | 5:34 PM
Share

સુરત (Surat)  મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની(Education Committee)  શાળામાં વિવિધ 8 જેટલી ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. સુરત એ ગુજરાતનું મીની ભારત કહેવાય છે. કારણ કે અહીં અલગ અલગ રાજ્ય અને પ્રાંતના લોકો આવીને વસ્યા છે. જેથી તેઓને તેમની ભાષામાં જ શિક્ષણ મળી રહે તેવા તંત્રના પ્રયાસો છે.ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 8 પછી વ્યવસ્થા ન હોવાથી મજબૂરીમાં બાળકોને અભ્યાસ છોડી દેવો પડે છે. સુરત મહાનગર પાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુમતીના બાળકો માટે ધોરણ 8 પછી સુમન શાળા(Suman School)  શરૂ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.

સુરત મનપાની સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર સુધરી રહ્યું છે. જેના કારણે ખાનગી શાળાઓમાંથી પણ હવે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જોકે સુરત મનપા દ્વારા જે વિવિધ માધ્યમની શાળાઓ ચાલી રહી છે, તેમાં સુધારો લાવીને અભ્યાસને વધુ સુગમ કરવાની માંગ ઉઠી રહી છે. સુરતમાં ચાલતી ઉર્દુ માધ્યમની શાળાઓ માટે પણ આવી જ માંગણી થઈ છે. જેમાં હવે ધોરણ 8 પછીના વર્ગો શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી રહી છે.

ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે

ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી ખુરશીદ અલી સૈયદ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી એવી રજુઆત કરવામાં આવી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સઁચાલીત કેટલીક શાળાઓમાં લઘુમતી સમાજના બાળકો કુલ્લે 30 ક્લાસમાં અભ્યાસ કરે છે.ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.જેથી સુમન શાળા શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.જેથી આ બાળકો આગળ અભ્યાસ કરી શકે. ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">