Surat: સચિન જીઆઈડીસી કેમિકલ ગેસ લીકેજ કૌભાંડમાં ચાર આરોપીઓની ભરૂચથી અટકાયત

હાલ તમામ 24 અસરગ્રસ્તોની હાલત સ્થિર છે. જે સાત વ્યક્તિઓ વેન્ટિલેટર પર હતા, તેઓને પણ વેન્ટિલેટર પરથી ખસેડી લેવામાં આવ્યા છે. 

Surat: સચિન જીઆઈડીસી કેમિકલ ગેસ લીકેજ કૌભાંડમાં ચાર આરોપીઓની ભરૂચથી અટકાયત
Four accused in Sachin GIDC chemical gas leak scam arrested from Bharuch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:42 PM

ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ વેસ્ટના (Chemical Waste) નિકાલ દરમ્યાન ગઈકાલે સચીન જીઆઈડીસી (Sachin GIDC) ખાતે સર્જાયેલી હોનારતમાં છ કારીગરોના મોતને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સંદર્ભે હવે તપાસના ધમધમાટ વચ્ચે જવાબદારોને ઝડપી લેવા માટે સચિન જીઆઈડીસી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો સક્રિય થઈ જવા પામી છે. શુક્રવારે સવારે ભરૂચ ખાતેથી આ પ્રકરણમાં સંડોવાયેલા ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે. જેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સચીન જીઆઈડીસી ખાતે ગુરુવારે વહેલી સવારે ખાડીમાં અત્યંત ઘાતકી એવા કેમિકલનું ટેન્કરમાંથી નિકાલ કરતી વેળા પાસે જ આવેલ એક મિલમાં કામ કરતાં છ કારીગરોના ગુંગળામણથી મોત નિપજ્યાં હતા. જ્યારે 24 જેટલા અન્ય કામદારોને પણ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જેઓ હાલ પણ સારવાર હેઠળ છે. સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જીપીસીબી અને એફએસએલ દ્વારા કેમિકલના નમુના એકઠા કરીને રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે સચીન જીઆઈડીસીમાં ટેન્કર ચાલક સહિતના આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર દ્વારા પણ તળિયા ઝાટક તપાસ સાથે જવાબદારો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારે છ નિર્દોષ કારીગરોના મોત માટે જવાબદાર એવી આ હોનારતમાં સંડોવાયેલા ભરૂચના ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે. ભરૂચ એલસીબી દ્વારા આ ઈસમોની અટકાયત બાદ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ હોનારતમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.

હાલ તમામની હાલત સ્થિર

ગુરુવારે સર્જાયેલી આ કરુણ ઘટનામાં 6 મજુરોના મોત નિપજ્યા હતા. જ્યારે 20થી વધુ વ્યક્તિઓને અસર થતાં તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારે અન્ય 7 વ્યક્તિઓ વેન્ટિલેટર પર હતા. આજે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.ઓમકાર ચૌધરીના જણાવ્યા પ્રમાણે હાલ તમામ 24 અસરગ્રસ્તોની હાલત સ્થિર છે. જે સાત વ્યક્તિઓ વેન્ટિલેટર પર હતા તેઓને પણ વેન્ટિલેટર પરથી ખસેડી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Surat Corona Update: કોરોનાનો મહાવિસ્ફોટ: બપોર સુધી 550થી વધુ કેસ નોંધાયા, એક મહિલાનું મોત

આ પણ વાંચો : Surat: હવે ચેતી જવાની જરૂર, હોસ્પિટલમાં દાખલ થવાનો દર ધીમી રીતે વધી રહ્યો છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">