AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: હવે ચેતી જવાની જરૂર, હોસ્પિટલમાં દાખલ થવાનો દર ધીમી રીતે વધી રહ્યો છે

નોંધનીય છે કે રોજેરોજ કોરોનાના કેસો જે ગતિથી વધી રહ્યા છે, તેને જોતા આગામી દિવસોમાં સ્થિતિ વણસવાની પુરેપુરી સંભાવના દેખાઈ રહી છે.

Surat: હવે ચેતી જવાની જરૂર, હોસ્પિટલમાં દાખલ થવાનો દર ધીમી રીતે વધી રહ્યો છે
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 2:58 PM
Share

રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના (Corona) કેસોને કારણે શહેરમાં રિકવરી રેટમાં (Recovery Rate) પણ તબક્કાવાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક તબક્કે સુરતમાં 99 ટકાથી વધુની રિકવરી હતી. તેની સામે હવે રિકવરી રેટ ઘટીને 96 ટકાની નીચે આવી ગયો છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 3 દિવસથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ધીમો, પરંતુ વધારાનો ટ્રેન્ડ પણ નજરે પડી રહ્યો છે.

પહેલા લોકોને એવું હતું કે આ વાયરસ માઈલ્ડ છે અને તેમાં નજીવી સારવારથી પણ સારું થઈ જાય છે પણ આંકડા જે દર્શાવે છે તે થોડી ચિંતા જરૂર ઉભી કરી રહ્યું છે. કારણ કે એક્ટિવ કેસો પૈકી હાલ દાખલ દર્દીઓની સંખ્યા 82 નોંધાઈ છે. જે એક દિવસ પહેલા 61 હતી અને બે દિવસ પહેલા ફક્ત 39 જ હતી.

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રીવ્યુ બેઠકો કરીને કોરોનાને કાબુમાં કેવી રીતે કરવો તેની રણનીતિ બનાવવામાં આવી રહી છે. બે દિવસ પહેલા જ કલેકટર દ્વારા રીવ્યુ બેઠક કરીને સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને ઓક્સિજન પ્લાન્ટ બાબતે રીવ્યુ લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની દ્વારા પણ આ પહેલા લોકોને સચેત કરવામાં આવ્યા હતા કે હોસ્પિટલાઈઝેશન ઓછું છે જેને સહજતાથી લેવાની જરૂર નથી. ભલે હાલ હોસ્પિટલાઇઝેશનના આંકડા પણ નજીવા છે પણ જે ધીમી રીતે વધી રહ્યા છે તે પણ સતર્ક થઈ જવા માટે પૂરતા છે.

નોંધનીય છે કે રોજેરોજ કોરોનાના કેસો જે ગતિથી વધી રહ્યા છે, તેને જોતા આગામી દિવસોમાં સ્થિતિ વણસવાની પુરેપુરી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે લોકોએ ગભરાયા વિના કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવાનો સમય આવી ગયો છે. જો લોકો દ્વારા સમજદારી બતાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોરોનાનો અજગરી ભરડો વધે તેવી પુરે પુરી શક્યતા છે.

આ પણ વાંચો : Bhavnagar : રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રહેશે

આ પણ વાંચો :  પીએમ મોદીની સુરક્ષામાં ચૂક માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે : સીઆર પાટીલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">