Surat: વરાછા ગરનાળામાંથી ફરી ગંદુ પાણી ટપકવાનું શરૂ, રીપેરીંગ પછી પણ સમસ્યા ઠેરની ઠેર

સુરતના વરાછા ગરનાળાની વર્ષો જૂની સમસ્યાએ રીપેરીંગ થયા બાદ ફરી માથું ઊંચક્યું છે. તકલાદી રીપેરીંગના કારણે હવે ફરી એકવાર આ ગરનાળામાંથી પસાર થતા લોકો પર ગંદુ પાણી ટપકી રહ્યું છે. લોકો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટેની માંગણી કરવામાં આવી છે.

Surat: વરાછા ગરનાળામાંથી ફરી ગંદુ પાણી ટપકવાનું શરૂ, રીપેરીંગ પછી પણ સમસ્યા ઠેરની ઠેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:40 PM

આમ તો સુરત શહેરને સ્માર્ટ સીટી(Suratt Smart City) માટે અનેક એવોર્ડ મળી ગયા છે પણ આ જ શહેરની અનેક સમસ્યાઓ એવી છે જેનો કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી. જેમાંથી એક છે વરાછા ગરનાળા ખાતે ટપકતા ગંદા પાણીની સમસ્યા. આ સમસ્યા નવી નથી પણ વર્ષો જૂની છે. જેના માટે અહીંના સ્થાનિક કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય બધાએ મળીને તેને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો છે. આજદિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવી શક્યું નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વરાછા તરફ જતા આ ગરનાળાનું થોડા મહિના પહેલા જ રીપેરીંગ કામકાજ હાથ ધરાયુ હતું પણ હવે વરાછા ગરનાળામાંથી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું ફરી શરૂ થતાં અહીંથી પસાર થનારા વાહનચાલકો માટે મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરનાળાને રીપેરીંગ કરવા માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ થવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે જ્યારે રેલવે રાજય મંત્રી પણ સુરતના જ મળ્યા છે, ત્યારે આ ત્રાસથી સમસ્યાનો અંત આવે તેવી જ અપેક્ષા સેવી રહ્યા છે.

જ્યાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે એવા રેલવે સ્ટેશનના વરાછા ગરનાળામાંથી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું ફરી  શરુ થયું છે. જે દરેક પસાર થનારા લોકો પર પડે છે, ત્યારે તેમની હાલત કફોડી બને છે. ઓફિસ અને કામ પછી જો અહીં ગંદુ પાણી કપડાં પર પડે તો ના છૂટકે ફરી સ્વચ્છ થવા તેઓને ઘરે પરત જવાની ફરજ પડે છે.

આ સમસ્યા કાયમી છે. જેના નિરાકરણ આવે તે માટે થોડા દિવસ પહેલા પણ ગરનાળાને બંધ રાખીને કામ કરવામાં આવ્યું હતું પણ આ તકલાદી કામકાજને પગલે ફરી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું શરૂ થયું છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં શહેરીજનો માટે ત્રાસરૂપ આ સમસ્યા કોઈ કાયમી અંત નથી. ત્યારે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને રાજ્યકક્ષાનું રેલવે વિભાગનું કેન્દ્રીય મંત્રી પદ મળ્યું છે. ત્યારે આ સમસ્યાથી શહેરીજનોને છુટકારો મળે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara : વેપારીઓની ફરજિયાત રસીકરણની તારીખ લંબાવવા માંગ, હજુ અનેક વેપારીઓ રસીથી વંચિત 

આ પણ વાંચો: KHEDA : કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું, સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">