KHEDA : કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું, સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી
ખેડા જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા બચી ગઇ છે. અહીં, કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું હતું.
KHEDA : ખેડા જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા બચી ગઇ છે. અહીં, કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું હતું. નડિયાદમાં સિવિલ હોસ્પિટલ પાછળ રેલ બ્રિજ પાસે આ ઘટના બની હતી. કેનાલનું પાણી બ્રિજને લગોલગ અડી જતાં જળસ્તર ઘટાડવું પડ્યું હતું. સ્થાનિકોએ નહેર વિભાગને જાણ કરતા તુરંત કેનાલનું લેવલ ઘટાડવું પડ્યું હતું. જો આ ઘટનામાં પાણીનું સ્તર વધી ગયું હોત તો મોટી સમસ્યા અથવા તો દુર્ઘટના બની શકી હોત. જોકે, સ્થાનિકોની અગમચેતીને કારણે કોઇ દુર્ઘટના સર્જાઇ નથી.
Published on: Aug 14, 2021 04:54 PM
Latest Videos
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
