Surat: ગુજરાત મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલનું નિવેદન, ભાજપ ગુજરાત વિધાનસભા ભંગ કરીને 10-12 દિવસમાં ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તણાવમાં છે.

Surat: ગુજરાત મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલનું નિવેદન, ભાજપ ગુજરાત વિધાનસભા ભંગ કરીને 10-12 દિવસમાં ચૂંટણીની થઈ શકે છે જાહેરાત
Delhi CM Arvind Kejariwal
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 01, 2022 | 12:10 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઈને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતની (Gujarat) મુલાકાતે આવનારા નેતાઓની સંખ્યા પણ હવે વધી રહી છે. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે રાત્રે ફરી એકવાર દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ભંગ કર્યા બાદ દસથી બાર દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના છે. બીટીપી સાથે ગઠબંધન કર્યા બાદ ભરૂચ જિલ્લામાં તેની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તણાવમાં છે. સૂત્રોએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે વધુ સમય ન મળે તે માટે ભારતીય જનતા પાર્ટી આગામી 10થી 12 દિવસમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પંજાબની હિંસા મુદ્દે પણ આપ્યું નિવેદન

પંજાબના પટિયાલામાં થયેલી હિંસામાં કોઈને બક્ષવામાં આવશે નહીં. સરકારે હિંસા રોકવા માટે પગલાં લીધાં છે. હાલ સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં છે. પરિસ્થિતિ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંસા ફેલાવવામાં જે પણ સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બોલાવેલી ગુજરાતના નેતાઓ સાથેની બેઠક પર સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે ટ્વીટ કર્યું કે ભાજપ આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહી છે? શું તમે ખૂબ ડરી ગયા છો?

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચ્યા હતા. આ પહેલા તેઓ સુરતના સર્કિટ હાઉસમાં રોકાવાના હતા, પરંતુ તેમના રાત્રિ રોકાણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુરતમાં નાઈટ મેરેથોનને કારણે સુરક્ષાના કારણોસર સર્કિટ હાઉસ ખસેડવામાં આવ્યું છે અને તેઓએ ખાનગી હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. બાદમાં તેઓ ભરૂચ કાર્યક્રમ સ્થળે જવા રવાના થયા છે.

Surat : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ

જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">