AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા.

Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે
Delhi CM Arvind Kejriwal on Gujarat visit ,today
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 8:28 AM
Share

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઇને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ હવે ગુજરાતમાં સક્રિય બની ગઇ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. ત્યારે આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા. આજે તેઓ ભરુચમાં “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે.

શનિવારે રાત્રે જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરત પહોંચી ગયા હતા. મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ ચાલતી હતી, પરંતુ હવે AAP ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. ત્યારે ભાજપ નથી ઈચ્છતું કે AAPને પ્રચાર માટે વધારે સમય મળે. સાથે જ શક્ય છે કે આવનાર 10થી 15 દિવસમાં જ ભાજપ સરકાર વિધાનસભા ભંગ કરીને વહેલી ચૂંટણી જાહેર કરી શકે છે.

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ પર નજર કરીએ તો ભરૂચમાં બપોરે 11:00 કલાકે છોટુ વસાવાના નિવાસ સ્થાને બેઠક કરશે. બાદમાં બપોરે 12:00 કલાકે “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે. સંમેલન બાદ બપોરે 1 અને 30 કલાકે છોટુભાઈ વસાવાના નિવાસ સ્થાને જ બપોરનું ભોજન લેશે. દરમિયાન બપોરે 2:00 થી 3:00 કલાક સુધી કેટલાક રાજકીય અગ્રણીઓ સાથે પણ કેજરીવાલ મુલાકાત કરશે. બાદમાં બપોરે 3:00 કલાકે વડોદરા એરપોર્ટ જવા નિકળશે અને સાંજે 8:00 કલાકે એરપોર્ટથી દિલ્લી તરફ જવા રવાના થશે.

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">