Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા.

Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે
Delhi CM Arvind Kejriwal on Gujarat visit ,today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 8:28 AM

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઇને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ હવે ગુજરાતમાં સક્રિય બની ગઇ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. ત્યારે આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા. આજે તેઓ ભરુચમાં “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે.

શનિવારે રાત્રે જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરત પહોંચી ગયા હતા. મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ ચાલતી હતી, પરંતુ હવે AAP ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. ત્યારે ભાજપ નથી ઈચ્છતું કે AAPને પ્રચાર માટે વધારે સમય મળે. સાથે જ શક્ય છે કે આવનાર 10થી 15 દિવસમાં જ ભાજપ સરકાર વિધાનસભા ભંગ કરીને વહેલી ચૂંટણી જાહેર કરી શકે છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ પર નજર કરીએ તો ભરૂચમાં બપોરે 11:00 કલાકે છોટુ વસાવાના નિવાસ સ્થાને બેઠક કરશે. બાદમાં બપોરે 12:00 કલાકે “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે. સંમેલન બાદ બપોરે 1 અને 30 કલાકે છોટુભાઈ વસાવાના નિવાસ સ્થાને જ બપોરનું ભોજન લેશે. દરમિયાન બપોરે 2:00 થી 3:00 કલાક સુધી કેટલાક રાજકીય અગ્રણીઓ સાથે પણ કેજરીવાલ મુલાકાત કરશે. બાદમાં બપોરે 3:00 કલાકે વડોદરા એરપોર્ટ જવા નિકળશે અને સાંજે 8:00 કલાકે એરપોર્ટથી દિલ્લી તરફ જવા રવાના થશે.

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">