AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા.

Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે
Delhi CM Arvind Kejriwal on Gujarat visit ,today
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 8:28 AM
Share

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઇને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ હવે ગુજરાતમાં સક્રિય બની ગઇ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. ત્યારે આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા. આજે તેઓ ભરુચમાં “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે.

શનિવારે રાત્રે જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરત પહોંચી ગયા હતા. મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ ચાલતી હતી, પરંતુ હવે AAP ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. ત્યારે ભાજપ નથી ઈચ્છતું કે AAPને પ્રચાર માટે વધારે સમય મળે. સાથે જ શક્ય છે કે આવનાર 10થી 15 દિવસમાં જ ભાજપ સરકાર વિધાનસભા ભંગ કરીને વહેલી ચૂંટણી જાહેર કરી શકે છે.

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ પર નજર કરીએ તો ભરૂચમાં બપોરે 11:00 કલાકે છોટુ વસાવાના નિવાસ સ્થાને બેઠક કરશે. બાદમાં બપોરે 12:00 કલાકે “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે. સંમેલન બાદ બપોરે 1 અને 30 કલાકે છોટુભાઈ વસાવાના નિવાસ સ્થાને જ બપોરનું ભોજન લેશે. દરમિયાન બપોરે 2:00 થી 3:00 કલાક સુધી કેટલાક રાજકીય અગ્રણીઓ સાથે પણ કેજરીવાલ મુલાકાત કરશે. બાદમાં બપોરે 3:00 કલાકે વડોદરા એરપોર્ટ જવા નિકળશે અને સાંજે 8:00 કલાકે એરપોર્ટથી દિલ્લી તરફ જવા રવાના થશે.

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">