AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્રનો નિર્ણય, ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાશે

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની અને પાણી પીળાશ પડતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યુ છે કે પાણી પીવાલાયક છે. તેમા બીજી કોઈ તકલીફ નથી.

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્રનો નિર્ણય, ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાશે
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 21, 2023 | 5:34 PM
Share

સુરતમાં પીવાના પાણીમાં દુર્ગંધ તથા પીળાશ પડતું હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને લઈને તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે રાજ્ય સરકારમાં પત્ર લખ્યો હતો. તેને લઈને એક હજાર ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે, જે પાણી સુરત શહેરીજનોને સપ્લાય કરવામાં આવે છે, તે પાણી પીવા લાયક છે તેમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

સુરતના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સ્મસ્યા

સુરતમાં ઉનાળાની શરૂઆત થતા જ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. થોડા દિવસો અગાઉ વરાછા, કતારગામ, ઉધના અને પછી રાંદેરા ઝોનમાંથી પીવાના પાણીને લઈને ફરિયાદ ઉઠી હતી. પાણીમાં દુર્ગંધ તેમજ પીળાશ પડતું પાણી આવતું હોવાનું રહીશોની ફરિયાદ હતી. જેના પગલે મેયરે હાઈડ્રોલિક વિભાગ સાથે બેઠક કરી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે પણ હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે પાણીની સમસ્યા બાબતે બેઠક કરી હતી.

હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ જણાવ્યું હતું કે, છેલ્લા સાત-આઠ દિવસથી પાણીના પ્રશ્નો માટે શહેરીજનો ચિંતિત હતા. હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓને સ્થાયી સમિતિની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જે પાણી સુરત શહેરના લોકોને આપવામાં આવે છે તેની ક્વોલિટી બરાબર છે. જે પાણીની સપ્લાય કરવામાં આવે છે. તે પાણી પીવાલાયક છે. આ ઉપરાંત શહેરમાં કોઈ જગ્યાએ અન્ય પાણીની લાઈનો ભળી જવાને કારણે પાણીનો કલરમાં ફેરફાર આવ્યો હશે.

આ પણ વાંચો: Gujarati Video: સુરતમાં યોજાયેલી સાડી વૉકેથોનની PM મોદીએ કરી પ્રશંસા- કહ્યુ ભારતની કાપડ પરંપરાને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ

ઉકાઈ ડેમમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

પાણીનું લેવલ નીચું જવાને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. જેથી 18 એપ્રિલના રોજ રાજ્ય સરકારને વિંનતી કરી, ઉકાઈ ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 48 કલાક પછી તેની અસર જોવા મળી હતી. 20 એપ્રિલના રોજ 750 ક્યુસેક તથા 21મી તારીખે એક હજાર ક્યુસેક પાણી છોડવા માટેની મંજુરી મળી હતી. પાણીનું સ્તર ઉપર આવવાની સાથે દૂષિત પાણીના પ્રશ્નનો હલ થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">