AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્રનો નિર્ણય, ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાશે

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની અને પાણી પીળાશ પડતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યુ છે કે પાણી પીવાલાયક છે. તેમા બીજી કોઈ તકલીફ નથી.

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્રનો નિર્ણય, ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાશે
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 21, 2023 | 5:34 PM
Share

સુરતમાં પીવાના પાણીમાં દુર્ગંધ તથા પીળાશ પડતું હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને લઈને તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે રાજ્ય સરકારમાં પત્ર લખ્યો હતો. તેને લઈને એક હજાર ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે, જે પાણી સુરત શહેરીજનોને સપ્લાય કરવામાં આવે છે, તે પાણી પીવા લાયક છે તેમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

સુરતના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સ્મસ્યા

સુરતમાં ઉનાળાની શરૂઆત થતા જ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. થોડા દિવસો અગાઉ વરાછા, કતારગામ, ઉધના અને પછી રાંદેરા ઝોનમાંથી પીવાના પાણીને લઈને ફરિયાદ ઉઠી હતી. પાણીમાં દુર્ગંધ તેમજ પીળાશ પડતું પાણી આવતું હોવાનું રહીશોની ફરિયાદ હતી. જેના પગલે મેયરે હાઈડ્રોલિક વિભાગ સાથે બેઠક કરી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે પણ હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે પાણીની સમસ્યા બાબતે બેઠક કરી હતી.

હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ જણાવ્યું હતું કે, છેલ્લા સાત-આઠ દિવસથી પાણીના પ્રશ્નો માટે શહેરીજનો ચિંતિત હતા. હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓને સ્થાયી સમિતિની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જે પાણી સુરત શહેરના લોકોને આપવામાં આવે છે તેની ક્વોલિટી બરાબર છે. જે પાણીની સપ્લાય કરવામાં આવે છે. તે પાણી પીવાલાયક છે. આ ઉપરાંત શહેરમાં કોઈ જગ્યાએ અન્ય પાણીની લાઈનો ભળી જવાને કારણે પાણીનો કલરમાં ફેરફાર આવ્યો હશે.

આ પણ વાંચો: Gujarati Video: સુરતમાં યોજાયેલી સાડી વૉકેથોનની PM મોદીએ કરી પ્રશંસા- કહ્યુ ભારતની કાપડ પરંપરાને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ

ઉકાઈ ડેમમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

પાણીનું લેવલ નીચું જવાને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. જેથી 18 એપ્રિલના રોજ રાજ્ય સરકારને વિંનતી કરી, ઉકાઈ ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 48 કલાક પછી તેની અસર જોવા મળી હતી. 20 એપ્રિલના રોજ 750 ક્યુસેક તથા 21મી તારીખે એક હજાર ક્યુસેક પાણી છોડવા માટેની મંજુરી મળી હતી. પાણીનું સ્તર ઉપર આવવાની સાથે દૂષિત પાણીના પ્રશ્નનો હલ થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
g clip-path="url(#clip0_868_265)">