AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું હાઈકોર્ટમાં જવું કે નહી નિર્ણય પર સસ્પેન્સ, કોંગ્રેસ હવે સમય લેશે

ર્વ મુખ્યમંત્રી અને દિગ્વિજય સિંહે આ મામલે ભાજપ સરકાર પર મોટુ નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરી રહેલા જજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યા છે.

સુરત કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું હાઈકોર્ટમાં જવું કે નહી નિર્ણય પર સસ્પેન્સ, કોંગ્રેસ હવે સમય લેશે
Rahul Gandhi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 11:33 PM
Share

સુરતઃ ગુજરાતની એક કોર્ટે આજે એટલે કે ગુરુવારે મોદી અટક ધરાવતી બદનક્ષીની અરજી ફગાવી દીધી છે. જે બાદ રાહુલ ગાંધી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ છે. પરંતુ હવે સુત્રોમાંથી જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રાહુલે સુરત કોર્ટ સામેના નિર્ણય સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના મામલે હજુ પણ સસ્પેન્સ છે. જો કે સુરત કોર્ટમાં રાહુલ ગાંધીનો કેસ લડી રહેલા વકીલે કહ્યું કે તેઓ આવતીકાલે સવારે અપીલ દાખલ કરશે. પરંતુ કોંગ્રેસના સુત્રોના જણાવ્યા મુજબ હજુ નક્કી નથી.

તેમણે કહ્યું કે ચુકાદો જોયા પછી અમે તે અરજી તૈયાર કરીને આગળ વધીશું. અને ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. પરંતુ આપણે એમ કહી શકતા નથી કે આપણે કાલે જ કરીશું. જણાવી દઈએ કે આ મામલો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. કોંગ્રેસ નેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. તેમના નિવેદન બાદ કોંગ્રેસમાં ભારે વિવાદ સર્જાયો હતો.

ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના પર તાજેતરમાં સુરત કોર્ટે 23 માર્ચ 2023ના રોજ ચુકાદો આપ્યો હતો. જેના આધારે બીજા દિવસે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું

બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્વિજય સિંહે આ મામલે ભાજપ સરકાર પર મોટુ નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરી રહેલા જજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યા છે. આ મામલામાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપના લોકો અલગ દેશ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આજના દિવસને કાળો દિવસ ગણાવતા મુફ્તીએ કહ્યું કે કેન્દ્ર સરકાર વિપક્ષના નેતાઓને પરેશાન કરવામાં વ્યસ્ત છે. જાણી જોઈને તેમને જેલમાં ધકેલી રહ્યા છે.

ન્યાયાધીશ અમિત શાહના વકીલ

તેમણે કહ્યું કે અમને અપેક્ષા નહોતી, પરંતુ સાંભળ્યું છે કે જે ન્યાયાધીશ છે તે પહેલા અમિત શાહના વકીલ હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાનિ કેસની સુનાવણી કરી રહેલા રોબિન મોગેરાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યો છે. મોગેરાએ વર્ષ 2006માં તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસ લડ્યો હતો. તે સમયે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. માહિતી અનુસાર, મોગરાએ શાહનો આ કેસ 2014 સુધી લડ્યો હતો.

Follow Us
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
g clip-path="url(#clip0_868_265)">