AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું હાઈકોર્ટમાં જવું કે નહી નિર્ણય પર સસ્પેન્સ, કોંગ્રેસ હવે સમય લેશે

ર્વ મુખ્યમંત્રી અને દિગ્વિજય સિંહે આ મામલે ભાજપ સરકાર પર મોટુ નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરી રહેલા જજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યા છે.

સુરત કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું હાઈકોર્ટમાં જવું કે નહી નિર્ણય પર સસ્પેન્સ, કોંગ્રેસ હવે સમય લેશે
Rahul Gandhi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 11:33 PM
Share

સુરતઃ ગુજરાતની એક કોર્ટે આજે એટલે કે ગુરુવારે મોદી અટક ધરાવતી બદનક્ષીની અરજી ફગાવી દીધી છે. જે બાદ રાહુલ ગાંધી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ છે. પરંતુ હવે સુત્રોમાંથી જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રાહુલે સુરત કોર્ટ સામેના નિર્ણય સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના મામલે હજુ પણ સસ્પેન્સ છે. જો કે સુરત કોર્ટમાં રાહુલ ગાંધીનો કેસ લડી રહેલા વકીલે કહ્યું કે તેઓ આવતીકાલે સવારે અપીલ દાખલ કરશે. પરંતુ કોંગ્રેસના સુત્રોના જણાવ્યા મુજબ હજુ નક્કી નથી.

તેમણે કહ્યું કે ચુકાદો જોયા પછી અમે તે અરજી તૈયાર કરીને આગળ વધીશું. અને ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. પરંતુ આપણે એમ કહી શકતા નથી કે આપણે કાલે જ કરીશું. જણાવી દઈએ કે આ મામલો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. કોંગ્રેસ નેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. તેમના નિવેદન બાદ કોંગ્રેસમાં ભારે વિવાદ સર્જાયો હતો.

ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના પર તાજેતરમાં સુરત કોર્ટે 23 માર્ચ 2023ના રોજ ચુકાદો આપ્યો હતો. જેના આધારે બીજા દિવસે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું

બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્વિજય સિંહે આ મામલે ભાજપ સરકાર પર મોટુ નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરી રહેલા જજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યા છે. આ મામલામાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપના લોકો અલગ દેશ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આજના દિવસને કાળો દિવસ ગણાવતા મુફ્તીએ કહ્યું કે કેન્દ્ર સરકાર વિપક્ષના નેતાઓને પરેશાન કરવામાં વ્યસ્ત છે. જાણી જોઈને તેમને જેલમાં ધકેલી રહ્યા છે.

ન્યાયાધીશ અમિત શાહના વકીલ

તેમણે કહ્યું કે અમને અપેક્ષા નહોતી, પરંતુ સાંભળ્યું છે કે જે ન્યાયાધીશ છે તે પહેલા અમિત શાહના વકીલ હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાનિ કેસની સુનાવણી કરી રહેલા રોબિન મોગેરાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યો છે. મોગેરાએ વર્ષ 2006માં તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસ લડ્યો હતો. તે સમયે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. માહિતી અનુસાર, મોગરાએ શાહનો આ કેસ 2014 સુધી લડ્યો હતો.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">