AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હત્યાનો આરોપી 24 વર્ષ બાદ કડોદરાથી ઝડપાયો, પાંડેસરામાં મિત્રની જ હત્યા કરી થયો હતો ફરાર

સુરતના પાંડેસરામાં 24 વર્ષ અગાઉ થયેલી હત્યાના (Murder) કેસમાં નાસતા ફરતા યુવકને પોલીસે કડોદરા વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. કૈલાસ ઉર્ફે કાલિયો નામનો યુવક વર્ષ 1999માં પાંડેસરાની રાધિકા ડાઇંગમાં કામ કરતો હતો. એ સમયે તેને તેના મિત્ર રાજુ બલરામ ગુપ્તા સાથે નજીવી બાબતે ઝગડો થયો હતો અને હત્યા કરી ફરાર થઇ ગયો હતો.

Surat : હત્યાનો આરોપી 24 વર્ષ બાદ કડોદરાથી ઝડપાયો, પાંડેસરામાં મિત્રની જ હત્યા કરી થયો હતો ફરાર
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:53 AM
Share

Surat :  સુરતના પાંડેસરામાં 24 વર્ષ અગાઉ થયેલી હત્યાના (Murder) કેસમાં નાસતા ફરતા યુવકને પોલીસે કડોદરા વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. કૈલાસ ઉર્ફે કાલિયો નામનો યુવક વર્ષ 1999માં પાંડેસરાની રાધિકા ડાઇંગમાં કામ કરતો હતો. એ સમયે તેને તેના મિત્ર રાજુ બલરામ ગુપ્તા સાથે નજીવી બાબતે ઝગડો થયો હતો અને હત્યા કરી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો- Vadodara : ડભોઇના ચાણોદમાં ગાય ગટરમાં ખાબકી, ભારે જહેમત બાદ કરાયુ રેસ્કયુ, જુઓ Video

વર્ષ 1999માં હત્યા કરી હતો ફરાર

આરોપી કૈલાસ ઉર્ફે કાલિયો નામનો યુવક વર્ષ 1999માં પાંડેસરાની રાધિકા ડાઇંગમાં કામ કરતો હતો. એ સમયે તેને તેના મિત્ર રાજુ બલરામ ગુપ્તા સાથે નજીવી બાબતે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી 15મી મે, 1999ના રોજ કૈલાસ કેવટ હથિયાર લઇ રાજુ ગુપ્તાને મારવા દોડ્યો હતો. એ સમયે સાથે રહેલા બિપીન મિશ્રાએ કૈલાશને રોકી હુમલો ન કરવા સમજાવવા લાગ્યો હતો. જો કે, ગુસ્સામાં લાલચોળ કૈલાસે બિપીનના માથામાં જ ફટકા મારી દેતા તેના રામ રમી ગયા હતા.

પાંડેસરાનું ઘર છોડી ફરાર હતો

પોલીસે કૈલાશપ્રસાદ ઉર્ફે કાલીયો રામનિહોર કેવટ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે તે પાંડેસરાના શાંતાનગર સ્થિત ઘર છોડી ફરાર થઈ ગયો હતો. વતન મધ્યપ્રદેશના રીવા જિલ્લાના દુલહારા ગામે વખતો વખત તપાસ કરવા છતાં તે મળી આવ્યો ન હતો. આ કૈલાસને ઝડપી પાડવા માટે પોલીસે ફરી પ્રયત્નો હાથ ધર્યા હતા.

જાણવા મળ્યું કે “કૈલાશપ્રસાદ સમનિહોર કેવટ છેલ્લા એકાદ મહિનાથી પરત પોતાના વતનગામે તે આવી માછીમારી કરી રહ્યા છે. આ માહિતીના આધારે એક ટીમ ત્યાં પહોંચી હતી. જો કે તે મળ્યો ન હતો.આ ટીમે કરેલી તપાસમાં એવી જાણવા મળ્યું કે કૈલાસ સુરત કડોદરા ખાતે કામ અર્થે ગયો છે. આ સાથે જ તેનો મોબાઇલ નંબર પણ મેળવાયો હતો.

મોબાઇલ નંબરના આધારે તપાસ કરી કૈલાશને કલ્પતરુ કોમ્પલેક્ષ, નીલમ હોટલની બાજુમાં કડોદરાથી ઝડપી લેવાયો હતો. કાલીયા કેવટે પોલીસને જણાવ્યું કે, હુમલા બાદ તે વતન ગયો અને એક અઠવાડીયુ રોકાયો હતો. જોકે અવાર નવાર ત્યાં પોલીસ શોધખોળમાં આવતી હોવાથી તે વતન છોડી ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જતો રહ્યો હતો.અહીં તેણે ત્રણેક વર્ષ રહી રીક્ષા ચલાવી હતી. ત્યારબાદ 2005માં કડોદરા આવી રહેવા આવી ગયો હતો. અહીં તે ઝોલવા, તાતીથૈયા પાસે આવેલ ભુમી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં નોકરી કરતો હતો. છેલ્લા છ મહિનાથી કાલિયાએ પેસેન્જર ઓટો રીક્ષા લીધી અને કડોદરા અને કામરેજ સુધી ફેરા મારવા માંડ્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
g clip-path="url(#clip0_868_265)">