AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mandvi: ચોમાસાની બીજી ઇનિંગમાં માંડવીમાં સરકારી આવાસ નજીક દીવાલ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

સુરતમાં (Surat) ગઈકાલે રાતે આ જ પ્રકારે એક જર્જરિત મકાન પડી ગયું હતું તેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.

Mandvi: ચોમાસાની બીજી ઇનિંગમાં માંડવીમાં સરકારી આવાસ નજીક દીવાલ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં
Wall collapsed in Mandvi (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 3:08 PM
Share

માંડવી(Mandvi)માં સરકારી આવાસ નજીક એક દીવાલ (Wall )ધરાશયી થઈ હતી. દીવાલ ધરાશયી થઈ ને કાચા મકાન પર પડતા મકાન ને નુકસાન થયું હતું. પાલિકાને જાણ કરવા છતાં કોઈ અધિકારી નહીં ફરકતા રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેર થઈ રહી છે. ત્યારે જિલ્લા ના માંડવી માં પણ સવારે 6 વાગ્યા થી બપોર સુધી માં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે માંડવી ના સરકારી આવાસ કે જ્યાં મામલતદાર સહિત ના અધિકારીઓ ના આવાસ આવેલા છે. ત્યાં કમ્પાઉન્ડ ની એક દીવાલ ધરાશયી થઈ હતી. દીવાલ ધરાશયી થઈ ને બાજુ માં આવેલ એક કાચા મકાન પર પડતા મકાન ને પણ નુકસાન થયું હતું. જોકે જાનહાની ટળી હતી.

મકાન ને નુકસાન સાથે નજીક માં મંદિર આવેલું છે ત્યાં પણ નુકસાન થયું હતું. હજુ પણ કેટલીક દીવાલો જર્જરિત હોય સ્થાનિકો એ માંડવી પાલિકા ખાતે જાણ કરી હતી. અગાઉ પણ અનેકવાર રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ ગંભીરતા દાખવાય ના હતી. આજે પણ દીવાલ તૂટી પડ્યા ને કલાકો સુધી પાલિકા ના કોઈ જવાબદાર કર્મચારીઓ ફરકયા ના હતા. જેથી સ્થાનિકો માં રોષ ફેલાયો છે.

એક તરફ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ રિએન્ટ્રી કરી છે, ત્યાં બીજી તરફ આવી જર્જરિત ઇમારતો જોખમરૂપ સાબિત થઇ શકે છે. પાલિકાના કર્મચારીઓનું આ બાબતે ધ્યાન દોરવા છતાં તેમના દ્વારા કોઈપણ પ્રકારના પગલાં નહીં લેવાતા ભવિષ્યમાં આવી જો ઘટના ફરી બને અને કોઈ જાનહાની થાય તો તેની જવાબદારી કોની રહેશે તે સવાલ પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે સુરતમાં ગઈકાલે રાતે આ જ પ્રકારે એક જર્જરિત મકાન પડી ગયું હતું તેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.

Input Credit – Jignesh Mehta (Bardoli)

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">