AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suratના સરથાણામાં સામુહિક આત્મહત્યાના પ્રયાસ ની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ ઝેરી દવા ગટગટાવી

સુરત(Surat)ના સરથાણા વિસ્તારમાં મોરડીયા પરિવારના ચાર સભ્યોએ બે દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે. અગાઉની ઘટનામાં ઝેરી દવા ગટગટાવનાર 4 સભ્યો પૈકી આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયા હતા.

Suratના સરથાણામાં સામુહિક આત્મહત્યાના પ્રયાસ ની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ ઝેરી દવા ગટગટાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 8:34 PM
Share

સુરત(Surat)ના સરથાણા વિસ્તારમાં મોરડીયા પરિવારના ચાર સભ્યોએ બે દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે. અગાઉની ઘટનામાં ઝેરી દવા ગટગટાવનાર 4 સભ્યો પૈકી આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયા હતા. હવે પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવતીનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરડિયા પરિવારની મોટી દીકરી રૂચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું.

સામુહિક આપઘાતની ઘટના

સરથાણાના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુભાઇ તેમની પત્ની શારદાબેન,પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એક સાથે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતક વિનુભાઇએ આત્મહત્યા કરતા પહેલા પોતાના મોટાભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રૂચિતાનું ધ્યાન રાખવા વિનંતી કરી હતો.  પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના વિનુભાઇના મોટાભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોના નિવેદનો લઈ આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.

પરિવારના વધુ એક સભ્યએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો

ઘટનાની તપાસ હાથ ધરનાર પોલીસ નિવેદનો નોંધી રહી છે દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રૂચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો રૂચિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે.

આઘાતમાં સારી પડેલી યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરડિયા પરિવારની મોટી દીકરી રૂચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક રૂચિતાને ખાનગી હોસ્પિટલ ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. હાલ તો ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

ઘરકંકાસ અને આર્થિક ભીંસમાં પગલું ભર્યાનું અનુમાન

સૂત્રો અનુસાર સરથાણામાં મોરડીયા પરિવારે કરેલી સામૂહિક આત્મહત્યા કેસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. વિનુભાઇનો મોટો પુત્ર પાર્થ 21 વર્ષની ઉંમરનો છે. ઘરનો મોટો પુત્ર કમાણી લાવતો ન હોવા સાથે આર્થિક ભીંસ હોવાથી ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થતા હતા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">