AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: બે ચોરીની ઘટના આવી સામે, 2.68 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થયા ચોર

સુરતમાં બે વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઈચ્છાપોર વિસ્તારમાં પરિવાર લગ્ન પ્રસંગમાં જતા તસ્કરો બે ઘરમાંથી 1.29 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જયારે લીંબાયત વિસ્તારમાં પરિવાર અગાસી પર નિંદ્રા કરી રહ્યા હતા, ત્યારે તસ્કરો ઘરમાંથી 1.39 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Surat: બે ચોરીની ઘટના આવી સામે, 2.68 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થયા ચોર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 9:08 PM
Share

સુરતમાં બે વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઈચ્છાપોર વિસ્તારમાં પરિવાર લગ્ન પ્રસંગમાં જતા તસ્કરો બે ઘરમાંથી 1.29 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જ્યારે લીંબાયત વિસ્તારમાં પરિવાર અગાસી પર નિંદ્રા કરી રહ્યા હતા, ત્યારે તસ્કરો ઘરમાંથી 1.39 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાચો: Surat: માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! 4 વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયો નટ બોલ્ટ, જુઓ Video

પહેલા બનાવમાં સુરતના ઈચ્છાપોર દામકાગામ નાગર ફળિયામાં શૈલેષભાઈ રમણભાઈ પટેલ પરિવાર સાથે રહે છે ગતરોજ સવારે 10 વાગ્યે પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં ભેસાણગામ ખાતે ગયા હતા. તે દરમ્યાન બપોરે લગ્ન પ્રસંગ પતાવીને બે વાગ્યે ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરનો દરવાજો ખોલતા તે અંદરથી ખૂલતો ન હતો, જેથી મકાનના પાછળના ભાગે જઈને જોતા ઘરનો દરવાજો ખુલ્લો અને ઘરમાં જઈને તપાસ કરતા સમાન વેર વિખેર જોવા મળ્યો હતો.

43 હજારની કિમતના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા

તેઓએ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી અલગ અલગ સોનાના દાગીના તેમજ 10 હજારની રોકડ મળી કુલ 86 હજારની મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત બાજુમાં રહેતા તેઓના કાકીના ઘરમાં પણ ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું તસ્કરો બાજુમાં રહેતા તેમના કાકી મણીબેનના ઘરમાંથી પણ 43 હજારની કિમતના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આમ તસ્કરો બે ઘરમાંથી કુલ 1.29 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે શૈલેષભાઈ પટેલે ઇચ્છાપોર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ મળી કુલ 1.39 લાખની મત્તાની ચોરી

બીજા બનાવમાં લીંબાયત ત્રિકમનગર પાસે રહેતા યોગેશભાઈ રાવનભાઈ પાટીલ પરિવાર સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે તેના ઘરના ધાબા પર સુવા ગયા હતા, તે વખતે અજાણ્યા તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેઓના ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી 1.24 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 10 હજાર આ ઉપરાંત મોબાઈલ તેમજ ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ મળી કુલ 1.39 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે યોગેશભાઈ પાટીલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">