AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પાંડેસરામાં હોળીના તહેવારમાં કુલ 06 બાળકો મળ્યા, SHE Teamએ બાળકોનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું

પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક નહિ બે નહિ પણ 6 જેટલા નાના બાળકો ગુમ થયાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા અલગ-અલગ પીસીઆર વાન અને પોલીસની ટીમ દ્વારા છ બાળકોને પોતાના વાલી વારસને શોધી અને બાળકોને સહીસલામત પરત કર્યા હતા.

Surat : પાંડેસરામાં હોળીના તહેવારમાં કુલ 06 બાળકો મળ્યા, SHE Teamએ બાળકોનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું
Surat: Pandesara police reunited a total of 06 children with their families during Holi festival
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2022 | 10:41 PM
Share

Surat :  પાંડેસરા  પોલીસ (police) સ્ટેશન વિસ્તારમાં હોળી-ધુળેટીના (holi)તહેવાર દરમ્યાન કુલ 06 બાળકો (Children) મળી આવેલ, SHE Team દ્વારા તાત્કાલીક બાળકોના વાલી વારસા શોધી તેમની સાથે મિલન કરાવવામાં આવ્યું.સુરત શહેરમાં અને તેમાં પણ કેટલાક એવા વિસ્તારો જયાં ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર બાળકો ગુમ થવાની ફરિયાદો સતત અવારનવાર બનતી રહેતી હોય છે. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ કરીને દરેક પોલીસ સ્ટેશનોને બાળકો ગૂમ થવા બાબતે ફરિયાદને ધ્યાનથી લઇ કામગીરી કરવા માટે સૂચના કરે છે. તે દરમિયાન માત્ર એક જ દિવસ એટલે કે ધૂળેટીના તહેવારના દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક નહિ બે નહિ પણ 6 જેટલા નાના બાળકો ગુમ થયાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા અલગ-અલગ પીસીઆર વાન અને પોલીસની ટીમ દ્વારા છ બાળકોને પોતાના વાલી વારસને શોધી અને બાળકોને સહીસલામત પરત કર્યા હતા.

દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત શહેરમાં નાના બાળકો સાથેની જે ઘટનાઓ જ ગંભીર બને છે. તેને ધ્યાનમાં રાખીને એક બાજુ સરકાર પણ ચિંતિત છે. ત્યારે બીજીબાજુ સ્થાનિક પોલીસ પણ ચિંતિત છે. કારણ કે નાના બાળકો અચાનક ગુમ થઈ જતા હોય છે અને, આવા કિસ્સાઓમાં કયારેક કોઇ મોટી દુર્ઘટના બની જાય છે. સાથે નાના બાળકોના અપહરણની ઘટના પણ સતત બનતી હોય છે. જેથી ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જેવા કે ઉધના પાંડેસરા સચીન જીઆઇડીસી હજીરા ઈચ્છાપુર આ વિસ્તારની અંદર PCR વાન અને સ્થાનિક પોલીસને સતત વોચ રાખવા માટે અને જો નાના બાળકો મળી આવે તો તેમની તાત્કાલિક તપાસ કરી અને પોતાના વાલીવારસા માટે તપાસ શરૂ કરવાની સૂચના કરી છે.

મહત્વની વાત એ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક જ દિવસની અંદર ધુળેટીના દિવસે પણ અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો મળી આવવાની સાથે જ સુરત પીસીઆર દ્વારા અને સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ટીમ બાળકોના નિવેદનો લઇ અને પોતાના માતા-પિતા સુધી પરત કરવાની કામગીરી કરી હતી.

આ પણ વાંચો : જામનગર : કૃષિ મંત્રીએ ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો : અમદાવાદ : સરકારી જમીનો પરના દબાણો દુર કરવા જિલ્લા કલેક્ટરની સ્પષ્ટ સૂચના, નળ સરોવર અને મુનસર તળાવને વધુ વિકસાવવા તાકીદ

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">