Surat: RTOના ચોપડે રજિસ્ટર નથી થયા ફૂડ ટેમ્પો, આગામી દિવસોમાં કાર્યવાહીના એંધાણ

વગર રજીસ્ટ્રેશન કર્યે જો કોઈ ફૂડ ટેમ્પો ચાલી રહ્યો હોય તો તે ગેરકાયદેસર છે. લોકોના વધતા દબાણ અને ફરિયાદોને કારણે હવે આરટીઓ દ્વારા પણ આવા ફૂડ ટેમ્પો ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે.

Surat: RTOના ચોપડે રજિસ્ટર નથી થયા ફૂડ ટેમ્પો, આગામી દિવસોમાં કાર્યવાહીના એંધાણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 8:22 PM

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા એકબાજુ જ્યાં ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લાઓ અને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે સુરત કોર્પોરેશન અભિયાન પણ ચલાવી રહ્યું છે. તેવામાં આખા સુરતમાં રજીસ્ટ્રેશન વગર ચલતા ફૂડ ટેમ્પોની (Food Tempo) ભરમાર લાગી છે. જેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થવાને કારણે લારી ગલ્લાવાળાઓમાં પણ નારાજગી જોવા મળી રહ્યા છે. જોકે હવે દબાણ વધતા આરટીઓ વિભાગ પણ આવા ગેરકાયદેસર ફૂડ ટેમ્પો ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા તૈયારી બતાવી રહ્યું છે. 

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

લારીઓની સાથે ફૂડ ટેમ્પોનું વધી રહ્યું છે ચલણ

સુરતમાં સ્ટ્રીટ ફૂડની સંસ્કૃતિને કારણે શહેરભરમાં ખૂણે ખૂણે ખાણી પીણીની અને નાસ્તાની લારીઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે. જેના કારણે રસ્તા પર દબાણની સમસ્યા ખુબ વધી રહી છે. જેને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ ખાસ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. લારીઓની સાથે સાથે દરેક જગ્યાએ હવે ફૂડ ઓન વ્હીલ્સ એટલે કે ફૂડ ટેમ્પોનું ચલણ વધી રહ્યું છે.

સુરતમાં 300 જેટલા ફૂડ ટેમ્પો ધમધમી રહ્યા છે 

સુરતમાં ગેરકાયદેસર રીતે આવા 300 જેટલા ફૂડ ટેમ્પો સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઉભા રહે છે. જેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી રહી જેના કારણે નાની નાની લારી ચલાવનારા લોકોમાં પણ ખુબ નારાજગી જોવા મળી રહી છે. આરટીઓ અધિકારીઓનું માનીએ તો આવા ફૂડ ટેમ્પોનું આરટીઓમાં રજીસ્ટ્રેશન કરવું ખુબ જરૂરી છે.

આગામી દિવસોમાં કાર્યવાહીના એંધાણ

રજીસ્ટ્રેશન કર્યા વગર જો કોઈ ફૂડ ટેમ્પો ચાલી રહ્યો હોય તો તે ગેરકાયદેસર છે. લોકોના વધતા દબાણ અને ફરિયાદોને કારણે હવે આરટીઓ દ્વારા પણ આવા ફૂડ ટેમ્પો ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. હાલ દિવાળીના કારણે મોટાભાગનો સ્ટાફ સુરત બહાર છે. આરટીઓનો સ્ટાફ પરત ફરશે ત્યારે સૌથી પહેલા ટેમ્પો સંચાલકોને પહેલા નોટિસ આપવામાં આવશે અને તે પછી તેમના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવશે.

નાની નાની લારી ચલાવનારાઓનું કહેવું છે કે જો લારી ગલ્લાને કારણે દબાણ વધતું હોય તો ફૂડ ટેમ્પોને કારણે પણ ટ્રાફિક જામ થાય જ છે. જોકે તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. વધુમાં તેઓ રજીસ્ટર્ડ પણ નથી. જેથી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તે જરૂરી છે.

આ પણ વાંચો : Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત

આ પણ વાંચો : હવે બળાત્કારીઓની ખેર નથી : સુરતમાં એક મહિનામાં પાંચ કેસોમાં બળાત્કારીઓને કડક સજા ફટકારાઇ

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">