Surat : દહેરાદુન, ભોપાલ અને બેંગલોર જેવુ જ શહીદ સ્મારક સુરતમાં બનાવાશે
સુરતના વેસુ વિસ્તારમાં 83,560 ચોરસ મીટર વિસ્તારમાં રૂ.51 કરોડના ખર્ચે આ શહીદ સ્મારક(Martyr Memorial ) બનવા જઈ રહ્યું છે. અહીં 38 મીટર ઊંચું શહીદ સ્તંભ પણ બનાવવામાં આવનાર છે.
Surat : શહેરીજનોને નળ, ગટર અને રસ્તા સહિતની સુવિધાઓ ઉપરાંત ઘણા એવા પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકા બનાવી રહી છે. જે શહેરીજનો માટે નજરાણા સમાન સાબિત થાય છે. આવી જ એક ભેંટ આવનારા દિવસોમાં સુરતીઓને મળવા જઈ રહી છે એ છે શહીદ સ્મારક. આજે કારગિલ વિજય દિવસ છે ત્યારે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિ પણ આ શહીદ સ્મારકમાં (Shahid Smarak ) જોવા મળશે. સુરત મનપાની સ્થાયી સમિતિમાં આ પ્રોજેક્ટને પૂર્વ મંજૂરી મળી ચુકી છે.
સુરતના વેસુ વિસ્તારમાં 83,560 ચોરસ મીટર વિસ્તારમાં રૂ.51 કરોડના ખર્ચે આ શહીદ સ્મારક(Martyr Memorial ) બનવા જઈ રહ્યું છે. અહીં 38 મીટર ઊંચું શહીદ સ્તંભ પણ બનાવવામાં આવનાર છે. 2019-20ના બજેટમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. શહેરીજનો શહીદોને આવા પ્રસંગે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી શકે તેના માટે આ પ્રોજેક્ટનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું હતું.
ભારત દેશની આઝાદી માટે અનેક જવાનોએ યુધ્ધમાં શુરવીરતા બતાવીને શહીદી વહોરી છે..ત્યારે દેશને મળેલ અમુલ્ય આઝાદીનું મુલ્ય સમજાય તેમજ દેશનાં વીર જવાનોની યશગાથાની જાણકારી લોકોને મળે તે માટે પાલિકા દ્રારા સુરતનાં વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક, શૌર્ય સ્મારક અને પીસ સેન્ટરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરનાં વેસુ વિસ્તારમાં 88940 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આ સ્મારક આકાર પામશે. જે સુરત શહેર માટે એક અનોખા નજરાણા સમાન સાબિત થશે.