હિંમતનગરથી માદક પદાર્થ સાથે અમદાવાદના 2 યુવકો ઝડપાયા, SOG એ કરી કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારને રોકીને તલાશી લેતા કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદના બે શખ્શોને માદક પદાર્થ સાથે ઝડપી લઈને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધીને તપાસ શરુ કરમવામાં આવી છે.

| Updated on: Dec 12, 2023 | 9:21 AM

એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફ બે શખ્શો કારમાં માદક પદાર્થ લઈને નિકળ્યા છે. જેને લઈ ઈડર સ્ટેટ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન હિંમતનગર એસઓજીની ટીમે સતર્કતા દાખવી હતી. હિંમતનગર બાયપાસ રોડ વિરપુર ત્રણ રસ્તા પાસે બાતમીનુસારની કારને રોકીને તલાશી લેતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

કારમાં સવાર અમદાવાદના બે શખ્શોને પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા એ અંગેની તપાસ શરુ કરી છે. 17 કિલો 200 ગ્રામ જેટલા ગાંજાના જથ્થાને જપ્ત કરીને હિંમતનગરના ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી પીઆઈ એનએન રબારી અને પીએસઆઈ કેબી ખાંટે જયરાજસિંહ અને નિકુંજકુમારની બાતમી આધારે બંને શખ્શોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

ઝડપાયેલા આરોપી

  1. પ્રિયાંશ ગણેશભાઈ પંડિત, સ્વસ્તીક પ્લેટિનીયમ ફ્લેટ, નારોલ, લાંભા રોડ, અમદાવાદ મૂળ રાણાવાસ, લુણાવાડા
  2. વૈભવ દેવેન્દ્રકુમાર સાંડપા, રહે હરીકૃપા પાર્ક સોસાયટી, ઘોડાસર, અમદાવાદ

આ પણ વાંચો: હિંમતનગરમાં તાર વડે પથ્થર સાથે બાંધી કુવામાં ફેંકી દીધેલી લાશ મળી, હત્યાને લઈ તપાસ શરુ

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">