AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ, બસમાં 30 બાળકો હતા સવાર

Mehsana News : માણસાના ન્યુ એરા એકેડમીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. બસના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.

Breaking News : મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ, બસમાં 30 બાળકો હતા સવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 12:03 PM
Share

મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગી તે સમયે આ બસમાં 30 બાળકો સવાર હતા. જો કે અચાનક બસમાં આગ લાગતાં તમામ 30 બાળકને બસની બહાર ઉતારી લેવામાં આવ્યા હતા અને બાળકોને બીજી સ્કૂલ બસમાં મોકલી દેવાયા હતા. સ્થાનિકો અને મહેસાણા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

બાળકોને બસમાંથી તાત્કાલિક ઉતારી દેવાયા

મહેસાણામાં સ્કૂલ બસના બાળકોનો મોટી દુર્ઘટનામાંથી બચાવ થયો છે.  બસના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. માણસાના ન્યુ એરા એકેડમીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચેથી પસાર થતી સ્કૂલ બસમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આગ લાગતા બસના ડ્રાયવર અને કંડકટરે સતર્કતા રાખી બાળકોને તાત્કાલિક ધોરણે બસમાંથી ઉતારી દીધા હતા.

આસપાસના લોકો દોડી આવ્યા હતા

સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. તો બીજી તરફ ફાયર બ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમતે આગ પર પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી છે.

 

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">