AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ, બસમાં 30 બાળકો હતા સવાર

Mehsana News : માણસાના ન્યુ એરા એકેડમીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. બસના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.

Breaking News : મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ, બસમાં 30 બાળકો હતા સવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 12:03 PM
Share

મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગી તે સમયે આ બસમાં 30 બાળકો સવાર હતા. જો કે અચાનક બસમાં આગ લાગતાં તમામ 30 બાળકને બસની બહાર ઉતારી લેવામાં આવ્યા હતા અને બાળકોને બીજી સ્કૂલ બસમાં મોકલી દેવાયા હતા. સ્થાનિકો અને મહેસાણા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

બાળકોને બસમાંથી તાત્કાલિક ઉતારી દેવાયા

મહેસાણામાં સ્કૂલ બસના બાળકોનો મોટી દુર્ઘટનામાંથી બચાવ થયો છે.  બસના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. માણસાના ન્યુ એરા એકેડમીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચેથી પસાર થતી સ્કૂલ બસમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આગ લાગતા બસના ડ્રાયવર અને કંડકટરે સતર્કતા રાખી બાળકોને તાત્કાલિક ધોરણે બસમાંથી ઉતારી દીધા હતા.

આસપાસના લોકો દોડી આવ્યા હતા

સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. તો બીજી તરફ ફાયર બ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમતે આગ પર પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી છે.

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">