Rajkot જિલ્લામાં રસીકરણની ગતિ ધીમી, અંધશ્રધ્ધાના કારણે વિછીયામાં ઓછુ રસીકરણ
corona veccine 6 મહિનામાં રાજકોટ જિલ્લામાં માત્ર 48 ટકા રસીકરણ પૂરું થયું છે. સૌથી વધારે ગોંડલ જિલ્લાનું જ્યારે સૌથી ઓછું રસીકરણ વિછીંયા તાલુકાનું નોંધાયું છે.
Rajkot News: રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી પુરજોશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 6 મહિનામાં રાજકોટ જિલ્લામાં માત્ર 48 ટકા રસીકરણ પૂરું થયું છે. જિલ્લામાં ધીમી ગતિએ ચાલતા રસીકરણ અભિયાનમાં સૌથી વધારે ગોંડલ જિલ્લાનું જ્યારે સૌથી ઓછું રસીકરણ વિછીંયા તાલુકાનું નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં પહેલો ડોઝ 4,40,539 વ્યક્તિઓએ જ્યારે બીજો ડોઝ 1,17,590 લોકો લઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધારે ગોંડલ તાલુકામાં 1,11,000 લોકોએ જ્યારે સૌથી ઓછું રસીકરણ વિછીયા તાલુકામાં માત્ર 18,000 લોકોએ રસી લીધી છે.
તાલુકો | પ્રથમ ડોઝ | બીજો ડોઝ |
ધોરાજી | 39609 | 12127 |
ગોંડલ | 84579 | 27338 |
જામકંડોરણા | 23855 | 6899 |
જસદણ | 47441 | 10084 |
જેતપુર | 69536 | 17263 |
કોટડા | 28429 | 5069 |
લોધિકા | 27645 | 6929 |
પડધરી | 24293 | 8158 |
રાજકોટ | 34253 | 7566 |
ઉપલેટા | 45309 | 13529 |
વીંછીયા | 15490 | 2630 |
અંધશ્રદ્ધા અને ગેરસમજ ઓછા રસીકરણ માટે જવાબદાર
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ Tv9 સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વિંછીયા તાલુકો પછાત વિસ્તાર છે. ત્યાં અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ કારણે આ વિસ્તારમાં ઓછું રસીકરણ થયું છે. જોકે હવે 18 વર્ષથી ઉપરના શિક્ષિત યુવાનો દ્વારા રસી લેવામાં આવતા વૃદ્ધો પણ રસી લેવા આગળ આવ્યાં છે. દેવ ચૌધરીએ આગામી બેથી ત્રણ અઠવાડિયામાં રસીકરણમાં નોંધપાત્ર વધારો થશે તેઓ દાવો કર્યો છે. મહત્વનું છે કે, હાલમાં રાજકોટ જિલ્લામાં દૈનિક સરેરાશ 10,000 જેટલા ડોઝ મળે છે જેના આધારે આગળના દિવસે જ રસીકરણ કેન્દ્રો પર કેટલી રસી આપવી તે અંગેનું આયોજન થઈ જાય છે. જો આ રીતે રસીકરણ ચાલશે તો જિલ્લામાં 70% નો ટાર્ગેટ પુરો કરવામાં હજુ પણ સમય લાગી શકે છે.