રાજકોટ મનપા અને પોલીસ આમને-સામને, સરકારી કાર્યક્રમમાં જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા વિવાદ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનો એક કાર્યક્રમ અને પોલીસે મનપા સામે જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધતા વિવાદ થયો છે. પોલીસની આ કાર્યવાહીથી મનપાના સત્તાધિશો ગિન્નાયા છે અને આ ફરિયાદનો રેલો ગૃહરાજ્યમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

રાજકોટ મનપા અને પોલીસ આમને-સામને, સરકારી કાર્યક્રમમાં જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા વિવાદ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 20, 2023 | 10:00 PM

આમ તો સરકારી કાર્યક્રમો સરકારની પરવાનગી સાથે ઉજવાતા હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા દિવાળીના પર્વમાં કરવામાં આવેલી ડીજે વીથ રોશનીના કાર્યક્રમમાં પોલીસે જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધતા વિવાદ સર્જાયો છે.પોલીસની આ કાર્યવાહીથી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ લાલઘૂમ થયા છે અને આ અંગે પોલીસ કમિશનરની ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી કરવામાં આવી છે.

10 વાગ્યા બાદ ડીજે વાગતા કાર્યવાહી

દિવાળીના પર્વ પર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રેસકોર્ષ ખાતે મિની કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.રેસકોર્ષની ફરતે લાઇટીંગ અને ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું.રાત્રીના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડીજે વીથ લાઇટીંગ રાખવામાં આવ્યુ હતું. જો કે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર કર્મચારી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વચ્ચે મધ્યસ્થી કરવા છતા પોલીસે વાત સાંભળી ન હતી અને ફરિયાદ નોંધી દેતા વિવાદ સર્જાયો હતો.

ફરિયાદના પગલાં ગાંધીનગર સુધી પડ્યા

રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર સામે નોંધાયેલી ફરિયાદના કારણે રાજકોટ મહાનગરપાલિકાએ પોલીસને જાણ કરી હતી. આ સરકારી કાર્યક્રમ છે અને દિવાળીનું પર્વ હોવાને કારણે ફરિયાદ ન કરવાની વિનંતિ કરવામાં આવી હતી. જો કે પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન હોવાનું કહીને કેસ દાખલ કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. ભાજપના નેતાઓએ પોલીસના આપખુદી વર્તનની ફરિયાદ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 09-12-2023
જન્મદિવસની કેક કટિંગ દરમિયાન Dharmendra Deol થયા ભાવુક, સની દેઓલે તેના રુમાલથી લૂછ્યાં આંસુ, જુઓ વીડિયો
સારા અલી ખાનને ફરી આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ, ઈમોશનલ વીડિયો કર્યો શેર
શ્રીસંતની પત્નીએ ગૌતમ ગંભીરને આપ્યો જડબાતોડ જવાબ
સવાર, સાંજ કે બપોર ! કોફી પીવાનો સાચો સમય કયો?
તમે એકસપાયરી ફોન તો નથી વાપરી રહ્યાને ? આ રીતે જાણો

ભાજપ અને પોલીસ આમને સામને હોવાનો આ ત્રીજો બનાવ

રાજકોટ ભાજપ અને પોલીસ આમને સામને હોય તેવો આ પહેલો બનાવ નથી. આ અગાઉના કિસ્સાઓમાં પણ પોલીસનું વર્તન યોગ્ય ન રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. જેમાં ભાજપ દ્રારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સાસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે પણ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન બતાવીને પોલીસે કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ત્રણ સ્થળોએ સ્ક્રિનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે આ કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત અને મંજૂરી આપવાની ના પાડી હતી. જો કે ત્યારબાદ સરકારની મધ્યસ્થીથી અંતે મંજૂરી આપી હતી. આ ઉપરાંત ભાજપના એક નેતા દ્રારા નવરાત્રી પહેલા અને પછી સાત થી આઠ દિવસ ચાલતા નવરાત્રી પર્વમાં 12 વાગ્યા સુધી દાંડિયા ચાલુ રાખવાની પરવાનગી આપવાની માંગ કરી હતી. જો કે પોલીસ કમિશનર દ્રારા આ વાતને પણ ઉડાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: વર્લ્ડ કપ 2023: 370 દિવસ પહેલા પેટ કમિન્સનો એ કઠીન નિર્ણય, સવા 7 કરોડ રૂપિયા છોડી ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Latest News Updates

અમરેલીના સાવરકુંડલા APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 6750 રહ્યા, જાણો
અમરેલીના સાવરકુંડલા APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 6750 રહ્યા, જાણો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
g clip-path="url(#clip0_868_265)">