AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : રીબડા SGVP ગુરૂકૂળમાં અભ્યાસ કરતા ધો 10ના વિધાર્થીનું હાર્ટ એટેકથી મોત, જુઓ Video

રાજયમાં નાની ઉમરે વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધુ એક ઉમેરો થયો છે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતાં ધોરણ 10ના વિધાર્થીનું આજે સવારે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું.

Rajkot : રીબડા SGVP ગુરૂકૂળમાં અભ્યાસ કરતા ધો 10ના વિધાર્થીનું હાર્ટ એટેકથી મોત, જુઓ Video
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 03, 2023 | 9:54 PM
Share

Rajkot: રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એસજીવીપી સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતાં ધોરણ 10ના વિધાર્થીનું આજે સવારે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. દેવાંશ ભાયાણી નામનો વિધાર્થી ગુરૂપૂર્ણિમાના દિવસે સ્પીચ આપવાનો હતો. સ્પીચ આપવા માટે પોડિયમ સ્ટેજ પર તેના મિત્રો સાથે લઇ જતો હતો ત્યારે અચાનક જ તે બેભાન થઇ ગયો હતો.

તાત્કાલિક દેવાંશને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જો કે ત્યાંના તબીબ દ્રારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્રારા દેવાંશનું સિવીલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. એક આશાસ્પદ કિશોરનું અચાનક જ મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

દેવાંશ ઘોરાજીના ઉઘોગપતિનો દિકરો, દાદા સિદસરના ટ્રસ્ટી

દેવાંશ ભાયાણી મૂળ ધોરાજીનો રહેવાસી છે. તેના પિતા વિન્ટુ ભાયાણી પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા ઉઘોગપતિ છે અને સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. દેવાંશના દાદા ભુપતભાઇ ભાયાણી કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા સિદસર ટ્રસ્ટના ટ્રસ્ટી છે. દેવાંશ તેના પરિવારનો એકનો એક દિકરો હતો.દેવાંશ સ્વામિનારાયણ ગુરૂકૂળમાં અભ્યાસ પહેલા બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. દેવાંશ શરીરથી એકદમ ફીટ હતો જો કે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે પણ તેને કોઇ તકલીફ ન હતી પરંતુ અચાનક જ તેનું મોત નીપજ્યું હતું.

હ્રદયની દિવાલ જાડી હોવાથી હ્રદય બંધ પડી ગયું – પોસ્ટમોર્ટમ રિપોર્ટ

દેવાંસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વાત બહાર આવી છે. દેવાંસને નાનપણથી હ્રદયની બિમારી હોવાનું તબીબોનું પ્રાથમિક તારણ છે. દેવાંસના હ્રદયના સ્નાયુઓની દિવાસ જાડી હોવાને કારણે તેના ધબકારા અનિયમીત હોય છે તેના હ્રદયની સાઇઝ પણ અન્ય વ્યક્તિ કરતા મોટી હોય છે જેથી અનિયમીત ધબકારાને કારણે અચાનક જ હ્રદય બંધ પડી ગયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.

દર 200 વ્યક્તિએ એક વ્યક્તિને આ તકલીફ -તબીબ

આ અંગે હ્રદય રોગના નિષ્ણાંત તબીબ રાજેશ તૈલીએ જણાવ્યું હતું કે કેટલાક બાળકોને જન્મજાત હ્રદયની બિમારી હોય છે જેમાં વાલ્વ ઓછું પમ્પીંગ કરવું, હ્રદયના સ્નાયુઓની દિવાલ જાડી હોવી, હ્રદયમાં કાણું હોવું આ પ્રકારની બિમારીઓને કારણે હ્રદય બેસી જાય છે અને કેટલાક કિસ્સાઓમાં અચાનક જ મૃત્યું પણ થતું હોય છે. આ બાળકના કિસ્સામાં જે સામે આવ્યું છે તે વારસાગત બિમારી છે. આ એક સાયલન્ટ બિમારી છે જેમાં વ્યક્તિ તંદુરસ્ત હોય છે પરંતુ અચાનક જ તેનું મોત થઇ જાય છે.

આ પણ વાંચો  : બનાસકાંઠાના ધાનેરા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત, જુઓ Video

ભારતમાં આવી બિમારી દર 200 વ્યક્તિએ એક વ્યક્તિને આવું થતું હોય છે.સ્નાયુઓની દિવાલ જાડી હોવાને કારણે હ્રદયના ધબકારા અનિયમીત થઇ જાય છે.ક્યારેક વધારે શારિરીક કે માનસિક શ્રમ કરવાને કારણે આ ધબકારા અનિયમીત થઇ જાય છે પરિણામે અચાનક જ મોત નીપજે છે. લોકોએ સાવચેત રહેવું જોઇએ અને આવા કિસ્સાઓમાં શરીરનું મેડિકલ ચેક અપ નિયમીત કરાવવું જોઇએ.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">