AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ભાવ ન મળતા ખેડૂતોએ પશુઓને ચરાવી દીધો પાક

Rajkot: ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે. વાવેતરનો ખર્ચો પણ ન નીકળે એટલાય ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાયડી ગામના ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા નિરાશ ખેડૂતોએ તૈયાર પાકમાં પશુઓને હવાલે કરી દીધો છે.

Rajkot: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા,  ભાવ ન મળતા ખેડૂતોએ પશુઓને ચરાવી દીધો પાક
પશુઓના હવાલે કરી દીધી ડુંગળી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:13 AM
Share

કહેવામાં તો એ ગરીબોની કસ્તૂરી છે પણ હાલ ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ એટલા તળિયે બેસી ગયા છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર પાછળ ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો તેટલા પણ ભાવ નહીં મળતા આખરે ખેડૂતો માગી રહ્યા છે સરકારની મદદ. રાજકોટના રાયડી ગામમાં ડુંગળીના ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોએ તૈયાર પાકમાં પશુઓને ચરવા મુકી દીધા છે.

રાયડી ગામના એક ખેડૂતે 20 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે, તેને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર સમયે કરેલ ખર્ચ નહીં નીકળતા ખેડૂતો નારાજ છે. ધોરાજી યાર્ડમાં ખેડૂતોને પ્રતિ મણ ડુંગળીના ફક્ત 50થી 60 રૂપિયા મળી રહ્યા છે. જેથી ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ડુંગળીના મણ દીઠ ભાવ હાલ માર્કેટમાં 50 રૂપિયા થઈ જતા તાત પરેશાન થઈ ગયો છે. ડુંગળીનો ભાવ કિલો દીઠ બેથી ત્રણ થઈ જતા તાત પાયમાલ થયો છે. ડુંગળીનો વાવણીના ખર્ચ જેટલો પણ ભાવ ખેડૂતોને મળી રહ્યો નથી. જેથી અનેક ખેડૂતો ડુંગળી યાર્ડ સુધી લાવવાને બદલે પશુઓને ખવડાવવા માટે ફેંકવા મજબૂર બન્યા છે. ખેડૂતો રાજ્ય સરકાર પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવની માગણી કરી રહ્યાં છે.. ઉપરાંત સરકાર તરત જ ડુંગળીની નિકાસના નિયમો હળવા કરે તેવી આશા રાખી રહ્યાં છે.

ડુંગળીના ઘટેલા મુદ્દે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી યોગ્ય હલ લાવવાનું આશ્વાસન આપ્યું છે.. તેમણે ખેડૂતોને હૈયાધારણા આપી છે કે ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મદદરૂપ કેવી રીતે થઈ શકાય તે બાબતે કોઈ રસ્તો કાઢીશું.

આ પણ વાંચો: UK ની પાકિસ્તાન જેવી જ હાલત ! સુપરમાર્કેટમાં શાકભાજીની ભારે અછત, 2 નંગથી વધુ બટાકા અને ડુંગળી ખરીદી શકાતા નથી

ડુંગળીના સારા ઉત્પાદન થકી સારી આવક થશે તેવી આશાઓ સાથે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર તો કર્યું પરંતુ હવે ડુંગળીના ઘટી રહેલા ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે.. આવા સમયે સરકાર ડુંગળી પકવતા ખેડૂતોની વ્હારે આવે તે સમયની માગ છે.

ઈનપુટ ક્રેડિટ-હુસૈન કુરેશી-રાજકોટ, બળદેવ સુથાર-સુરત

અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો
જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ
પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ
તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો
તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
g clip-path="url(#clip0_868_265)">