AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ

ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો હતો.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે  ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ
Rajkot: Grishma Vekaria murder case: Vekaria family seeks death penalty for killer
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:51 PM
Share

સુરતમાં (Surat) ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપીને કરાયેલી હત્યા (Murder) બાદ ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. ગ્રીષ્માની હત્યા કરનાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. રાજકોટ (Rajkot) શહેરના સમસ્ત વેકરિયા પરિવાર (Vekaria family)દ્વારા ગ્રીષ્માની હત્યાનો વિરોધ કર્યો હતો. અને આરોપીને કડક સજા આપવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને હત્યારા સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી.

હત્યારાને મૃત્યુદંડની સજા મળવી જોઇએ-વેકરિયા પરિવાર

વેકરિયા પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગ્રીષ્માની જે રીતે સરાજાહેર હત્યા કરવામાં આવી છે તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.આ કેસમાં આરોપીને મૃત્યુદંડની સજા મળવી જોઇએ.સરકાર દ્વારા આ અંગે પુરાવાઓ કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

સુરતની જેમ રાજ્યભરમાં પોલીસ પ્રજાના પ્રશ્નો સાંભળે

વેકરિયા પરિવારે પોતાના આવેદન પત્રમાં વધુમાં ઉમેર્યુ છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ પીએસઆઇને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની સુચના આપી છે. સુરતની જેમ રાજ્યભરમાં પોલીસ દ્વારા આ પ્રકારે પોલીસને સૂચના આપવામાં આવે અને પોલીસ પ્રજાના પ્રશ્નો સાંભળે તેવી અપીલ કરવામાં આવી છે. ફરિયાદીની ફરિયાદ અલગ બુકમાં નોંધવામાં આવે અને જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં તેનું રિવ્યુ થાય તેવી માંગ કરી છે.

આમ આદમી પાર્ટીએ પણ કડક પગલાની કરી માગ

ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો હતો.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે આ ઘટના પરથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે તે સમજી શકાય છે.હત્યારા સામે કડક પગલાં લેવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માગ કરી છે.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લાના રખડતાં ભટકતાં બાળકો હવે શાળામાં ભણવા જશે, વાંચો કલેક્ટરનું વિશેષ આયોજન

આ પણ વાંચો : Sabarkantha: ટ્રેકટર વેચવા આવતો સેલ્સમેન ખેડૂતના ટ્રેલરને ચોરી જતો અનોખો ચોર ઝડપાયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">