Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગીરગંગા ટ્રસ્ટ લોકભાગીદારીથી 11000 ચેકડેમ તૈયાર કરી જળક્રાંતિ લાવશે, અત્યાર સુધીમાં 100 ડેમનુ કરાયુ રિપેરીંગ

Rajkot: સામાજિક સંસ્થા ગીરગંગા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં 11000 ચેકડેમ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લાના જર્જરીત થયેલા ચેકડેમનેો પુનર્જીવિત કરી તેમાં જળસંગ્રહ કરવાના પ્રયત્નો કરે છે.

Rajkot: ગીરગંગા ટ્રસ્ટ લોકભાગીદારીથી 11000 ચેકડેમ તૈયાર કરી જળક્રાંતિ લાવશે, અત્યાર સુધીમાં 100 ડેમનુ કરાયુ રિપેરીંગ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 01, 2023 | 10:31 PM

Rajkot: સાંપ્રત સમયમાં પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા ગીરગંગા ટ્રસ્ટ દ્રારા પાણીના બચાવ માટેનું એક મહાઅભિયાન શરૂ કર્યું છે.રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાં પાણીનો બચાવ થઇ શકે તે માટે ચેકડેમોનું જતન કરશે. ગીરગંગા ટ્રસ્ટ દ્રારા આ માટે લોકભાગીદારીથી સૌરાષ્ટ્રના 11000 જેટલા ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ગીરગંગા ટ્રસ્ટ છેલ્લા ઘણાં સમયથી રાજકોટ જિલ્લાના જર્જરિત થઇ ગયેલા ચેકડેમોને પુર્નજીવીત કરીને તેમાં પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરે છે અને હવે આ બીડું સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો સુધી ઉપાડીને જળસંગ્રહ માટેનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે.

ચેકડેમ બનશે તો જળસ્તર ઉંચુ આવશે,પ્રકૃતિને ફાયદો થશે

ગીરગંગા ટ્રસ્ટના ચેરમેન દિલીપ સખિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અનેક ચેકડેમ આવેલા છે પરંતુ કોઇક જગ્યાએ ચેકડેમના પાળા તૂટી ગયા છે તો કોઇ જગ્યાએ ચેકડેમ જર્જરિત હાલતમાં છે, કોઇ જગ્યાએ ચેકડેમમાં માટી ભરાયેલી હોય છે તો કોઇ જગ્યાએ પારાને ઉંચા કરવા પડે તેવી પરિસ્થિતિ હોય છે ત્યારે જો ચેકડેમને ફરી જીવિત કરવામાં આવશે તો ચોમાસામાં અહીં પાણીનો સંગ્રહ થશે. આ પાણીને કારણે આસપાસના વિસ્તારોમાં બોરના તળ ઉંચા આવશે. જેથી આસપાસના ખેતરોને સીધો ફાયદો થશે.આ ઉપરાંત પશુ,પક્ષી અને પ્રકૃતિને પણ આ ચેકડેમમાં સંગ્રહ થયેલું પાણી ખૂબ જ ઉપયોગી થશે.

અત્યાર સુધીમાં 100 ચેકડેમ રિપેરીંગ કરાયા

ગીરગંગા ટ્રસ્ટ દ્રારા દાતાઓના સહયોગથી આસપાસના વિસ્તારોના 100 જેટલા ચેકડેમોને રિપેરીંગ કરવામાં આવ્યા છે.ગીરગંગા ટ્રસ્ટ દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાના નામથી તૈયાર કરવામાં આવ્યો છે. જે પહેલા જ વરસાદમાં ઓવરફલો થયો હતો આ ઉપરાંત કાલાવડ રોડ પર 7 એકર જમીનમાં 18 ફુટ ઉંડો ચેકડેમ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ચેકડેમ હાલમાં 50 ટકા ભરાઇ ગયો છે જેના કારણે આસપાસની 50 જેટલી સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન હલ થઇ જશે. આ ઉપરાંત આ સોસાયટીના બોર અને કુવા જીવંત થઇ જશે.

Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
SRHની માલકિન કાવ્યા મારન 'AI' ને કેટલો પગાર આપે છે?
Jioનો શાનદાર પ્લાન ! માત્ર 51 રુપિયામાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ
આ 6 પ્રકારની રોટલી છે સ્વાસ્થ્ય માટે વરદાન, આપે છે અદ્ભુત ફાયદા
LSGને હરાવ્યા પછી આશુતોષ શર્માને કેટલા પૈસા મળ્યા?

આ પણ વાંચો : Rajkot : વશરામ સાગઠિયાની ઘરવાપસી બાદ કોંગ્રેસમાં જૂથવાદ, પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ

શુભપ્રસંગે ચેકડેમ માટે દાન આપવા અપીલ

જનભાગીદારીથી સૌરાષ્ટ્રના 11000 જેટલા ચેકડેમ રિપેરીંગનો સંકલ્પ કરનાર ગીરગંગા ટ્રસ્ટે લોકોને પોતાના શુભ પ્રસંગે દાન આપવાની અપીલ કરી છે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયાએ લોકોને અપીલ કરી છે તેઓના જન્મદિવસ,લગ્નદિવસ કે કોઇ નવા શુભારંભ કે કોઇની યાદમાં અન્ય સ્થળે રૂપિયાનો વ્યય કરવાને બદલે ચેકડેમના નિર્માણ કાર્યમાં દાન આપવાની અપીલ કરી છે. જળ છે તો જીવન છે, આ જળક્રાંતિના આ યજ્ઞમાં તમામ લોકોએ આહુતિ આપવાની અપીલ કરી હતી.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">