Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ભાદર -1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલાયા, નીચાણવાસમાં એલર્ટ

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે.

Rajkot: ભાદર -1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલાયા, નીચાણવાસમાં એલર્ટ
પાણીની ભરપૂર આવકને પગલે ભાદર ડેમના 18 દરવાજા ખોલાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:49 AM

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ  (Bhadar-1 Dam) પાણીથી છલોછલ થઈ ગયો છે અને ભાદર ડેમ છલકાઈ જતા ડેમના 18 દરવાજા 5  ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક થઈ રહી છે . ડેમમાં 32896 ક્યુસેક પાણીની આવક સામે 32896 ક્યુસેક પાણીની જાવક  નોંધાઈ રહી છે. સાથે જ નીચાણવાસના 22 ગામને એલર્ટ (Alert) આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા તેમજ  ઢોરઢાંખરને  નદીના પટમાં ચરાવવા ન લઇ જવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ગત રોજ ડેમ ભરાઈ જતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ પાણીની આવકમાં સતત વધારો થતા ડેમના 18 દરવાજા 5  ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

આજી-1 ડેમ છલકાતા રાજકોટવાસીઓ ખુશખુશાલ

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર જોવા મળી સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ત્યારે રાજકોટના જેતપુરની ભાદર નદી પણ બે કાંઠે વહી રહી છે અને ભાદર ડેમ-1 ઓવરફ્લો થતાં નદીમાં પૂર આવ્યું છે જેને નજીકના માર્ગો પર પાણી  ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકોને એકથી બે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આજી-1 ડેમ (Aji dam 1) ઓવરફ્લો થયો છે.રાજકોટની (Rajkot)  જીવાદોરી સમાન આજી ડેમ આખા શહેરને પીવાનુ પાણી પુરૂ પાડે છે. રાજકોટમાં 1954 માં આ ડેમનું નિર્માણ થયુ હતુ. ત્યારે 18 મી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમ ઓવરફ્લો (Aji dam overflow) થતા રાજકોટવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગઢડાના કાળુભાર ડેમના બે દરવાજા 2-2- ફુટ ખોલાયા

kalubhar dam botad

ગઢડા નજીક આવેલો કાળુભાર ડેમ છલકાયો

તો બોટાદના  ગઢડાના ગઢાળી ગામમાં આવેલો કાળુભાર ડેમ  પણ છલકાઈ જતા તેના દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના કુલ 16 દરવાજા હાલમાં 2 ફૂટ ખૂલ્લા છે ગત સાંજથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદન ેપગલે   ડેમ છલકાઈ ગયો છે અને  આ પાણીની આવક અને સંગ્રહથી  બોટાદ જિલ્લાના ગઢાળી, પ્રહલાદગઢ, રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના ઉમરાળા, ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાલા, વાઘધરા, ચોગઠ, વલ્લભીપુર, રાજસથળી સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે રાહત થઈ ગઈ છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: નાસીર બોઘાણી જેતપુર, બ્રજેશ સાંકરીયા બોટાદ, ટીવી9

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">