Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ભાદર -1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલાયા, નીચાણવાસમાં એલર્ટ

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે.

Rajkot: ભાદર -1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલાયા, નીચાણવાસમાં એલર્ટ
પાણીની ભરપૂર આવકને પગલે ભાદર ડેમના 18 દરવાજા ખોલાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:49 AM

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ  (Bhadar-1 Dam) પાણીથી છલોછલ થઈ ગયો છે અને ભાદર ડેમ છલકાઈ જતા ડેમના 18 દરવાજા 5  ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક થઈ રહી છે . ડેમમાં 32896 ક્યુસેક પાણીની આવક સામે 32896 ક્યુસેક પાણીની જાવક  નોંધાઈ રહી છે. સાથે જ નીચાણવાસના 22 ગામને એલર્ટ (Alert) આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા તેમજ  ઢોરઢાંખરને  નદીના પટમાં ચરાવવા ન લઇ જવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ગત રોજ ડેમ ભરાઈ જતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ પાણીની આવકમાં સતત વધારો થતા ડેમના 18 દરવાજા 5  ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

આજી-1 ડેમ છલકાતા રાજકોટવાસીઓ ખુશખુશાલ

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર જોવા મળી સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ત્યારે રાજકોટના જેતપુરની ભાદર નદી પણ બે કાંઠે વહી રહી છે અને ભાદર ડેમ-1 ઓવરફ્લો થતાં નદીમાં પૂર આવ્યું છે જેને નજીકના માર્ગો પર પાણી  ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકોને એકથી બે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આજી-1 ડેમ (Aji dam 1) ઓવરફ્લો થયો છે.રાજકોટની (Rajkot)  જીવાદોરી સમાન આજી ડેમ આખા શહેરને પીવાનુ પાણી પુરૂ પાડે છે. રાજકોટમાં 1954 માં આ ડેમનું નિર્માણ થયુ હતુ. ત્યારે 18 મી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમ ઓવરફ્લો (Aji dam overflow) થતા રાજકોટવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગઢડાના કાળુભાર ડેમના બે દરવાજા 2-2- ફુટ ખોલાયા

kalubhar dam botad

ગઢડા નજીક આવેલો કાળુભાર ડેમ છલકાયો

તો બોટાદના  ગઢડાના ગઢાળી ગામમાં આવેલો કાળુભાર ડેમ  પણ છલકાઈ જતા તેના દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના કુલ 16 દરવાજા હાલમાં 2 ફૂટ ખૂલ્લા છે ગત સાંજથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદન ેપગલે   ડેમ છલકાઈ ગયો છે અને  આ પાણીની આવક અને સંગ્રહથી  બોટાદ જિલ્લાના ગઢાળી, પ્રહલાદગઢ, રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના ઉમરાળા, ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાલા, વાઘધરા, ચોગઠ, વલ્લભીપુર, રાજસથળી સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે રાહત થઈ ગઈ છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: નાસીર બોઘાણી જેતપુર, બ્રજેશ સાંકરીયા બોટાદ, ટીવી9

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">