AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : પત્ની રૂમમાં હતી અને પતિએ દરવાજો ખોલતા જ જોવા મળ્યું એવું દ્રશ્ય કે પરિવારના તમામ લોકોના ઉડી ગયા હોશ

શહેરના 150 ફૂટ રીંગરોડ પર પુનિતનગરની પાછળ આવેલી સુખસાગર સોસાયટીમાં રાધિકા વસોયા નામની 25 વર્ષીય પરિણિતાએ આત્મહયા કરી છે. મોડીરાત્રે આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી.

Rajkot : પત્ની રૂમમાં હતી અને પતિએ દરવાજો ખોલતા જ જોવા મળ્યું એવું દ્રશ્ય કે પરિવારના તમામ લોકોના ઉડી ગયા હોશ
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 27, 2023 | 7:58 PM
Share

Rajkot: સુખસાગર સોસાયટીમાં રાધિકા વસોયા નામની 25 વર્ષીય પરિણિતાએ ગઈકાલે મોડીરાત્રે આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. પરિણીતાએ પોતાના રૂમમાં પંખા સાથે સાલ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાની આત્મહત્યા કરવા પાછળના કારણથી પરિવારજનો પણ અજાણ છે. સમગ્ર કેસમાં રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પતિએ દરવાજો ખોલતા જ પત્નીનો મૃતદેહ પંખે લટકતો મળ્યો

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર પુનિતનગરની પાછળ આવેલી સુખસાગર સોસાયટીમાં મૃતક પરિણીતા તેના પતિ, દિયર અને સાસુ-સસરા સાથે રહેતી હતી. ત્રણેક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા અને પરિવાર સુખસાગર સોસાયટીના સદભાવના એપાર્ટમેન્ટમાં રહે છે. ગઈકાલે મોડીરાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારના અન્ય સભ્યો સુતા હતા અને રાધિકા તેમના રૂમમાં હતી અને તેના પતિ એપાર્ટમેન્ટમાં નીચે હતા.

પતિએ ઉપર આવતા તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અનેકવાર દરવાજો ખખડાવ્યો પરિણીતાએ દરવાજો ન ખોલતા પરિવારને કઈક અજુગતું થયાની શંકા ગઈ હતી. અનેક વખત ખખડાવવા છતા દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરના સભ્યોએ અંદર જોતા પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પરિણીતા લટકી રહી હતી.

આ દ્રશ્યો જોતા પરિવારના તમામ લોકોના હોશ ઉડી ગયા હતા અને રાધિકાને તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો અને પતિ આઘાતમાં સરી પડ્યા હતા.

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ સી.જે. ઝાલાએ રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાધિકાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમના પિતાનું લાંબા સમય પહેલા જ અવસાન થયું હતું અને રાધિકાના માતાએ બીજા લગ્ન કર્યા તે વલસાડ ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ દ્વારા હવે આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. \

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">