Rajkot : પત્ની રૂમમાં હતી અને પતિએ દરવાજો ખોલતા જ જોવા મળ્યું એવું દ્રશ્ય કે પરિવારના તમામ લોકોના ઉડી ગયા હોશ

શહેરના 150 ફૂટ રીંગરોડ પર પુનિતનગરની પાછળ આવેલી સુખસાગર સોસાયટીમાં રાધિકા વસોયા નામની 25 વર્ષીય પરિણિતાએ આત્મહયા કરી છે. મોડીરાત્રે આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી.

Rajkot : પત્ની રૂમમાં હતી અને પતિએ દરવાજો ખોલતા જ જોવા મળ્યું એવું દ્રશ્ય કે પરિવારના તમામ લોકોના ઉડી ગયા હોશ
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 27, 2023 | 7:58 PM

Rajkot: સુખસાગર સોસાયટીમાં રાધિકા વસોયા નામની 25 વર્ષીય પરિણિતાએ ગઈકાલે મોડીરાત્રે આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. પરિણીતાએ પોતાના રૂમમાં પંખા સાથે સાલ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાની આત્મહત્યા કરવા પાછળના કારણથી પરિવારજનો પણ અજાણ છે. સમગ્ર કેસમાં રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પતિએ દરવાજો ખોલતા જ પત્નીનો મૃતદેહ પંખે લટકતો મળ્યો

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર પુનિતનગરની પાછળ આવેલી સુખસાગર સોસાયટીમાં મૃતક પરિણીતા તેના પતિ, દિયર અને સાસુ-સસરા સાથે રહેતી હતી. ત્રણેક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા અને પરિવાર સુખસાગર સોસાયટીના સદભાવના એપાર્ટમેન્ટમાં રહે છે. ગઈકાલે મોડીરાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારના અન્ય સભ્યો સુતા હતા અને રાધિકા તેમના રૂમમાં હતી અને તેના પતિ એપાર્ટમેન્ટમાં નીચે હતા.

પતિએ ઉપર આવતા તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અનેકવાર દરવાજો ખખડાવ્યો પરિણીતાએ દરવાજો ન ખોલતા પરિવારને કઈક અજુગતું થયાની શંકા ગઈ હતી. અનેક વખત ખખડાવવા છતા દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરના સભ્યોએ અંદર જોતા પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પરિણીતા લટકી રહી હતી.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

આ દ્રશ્યો જોતા પરિવારના તમામ લોકોના હોશ ઉડી ગયા હતા અને રાધિકાને તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો અને પતિ આઘાતમાં સરી પડ્યા હતા.

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ સી.જે. ઝાલાએ રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાધિકાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમના પિતાનું લાંબા સમય પહેલા જ અવસાન થયું હતું અને રાધિકાના માતાએ બીજા લગ્ન કર્યા તે વલસાડ ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ દ્વારા હવે આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. \

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">