AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના ઢોરવાડામાં જીવતી ગાયો બની હાડપીંજર, રોજ પાંચથી વધુ ગાયના મોત, દુર્દશા માટે જવાબદાર કોણ ?- Video

હિન્દુ સંસ્કૃતિમાં જેના "જતન"ની વાતો થઈ છે, જેને આપણે "ગૌમાતા" તરીકે પૂજીએ છીએ એ જ "ગૌમાતા"ઓ રાજકોટના "ઢોરવાડા"માં એટલી દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે કે જોઈને કંપારી છૂટી જાય ! રાજકોટના કોઠારિયા રોડ પર RMCનો ઢોર ડબ્બો આવેલો છે. પરંતુ, તે ઢોર ડબ્બાનું સંચાલન કરનારા સંચાલકો હાલ સવાલોના ઘેરામાં છે.

રાજકોટના ઢોરવાડામાં જીવતી ગાયો બની હાડપીંજર, રોજ પાંચથી વધુ ગાયના મોત, દુર્દશા માટે જવાબદાર કોણ ?- Video
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 12, 2024 | 11:11 PM
Share

રાજકોટના ઢોરવાડામાં પશુઓની દયનિય હાલતને જોતા ટ્રસ્ટના સંચાલકો સામે સવાલ ઉઠ્યા છે. આ ઘટનાના દૃશ્યો સામે આવ્યા છે. તે કોઈપણને વિચલીત કરી શકે છે. અહીં ઢોરવાડામાં જીવતી ગાયો ભૂખના મારી હાડપીંજર બની ગઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગંદકી વચ્ચે કણસતી આ ગાયોની વહારે કોઈ આવશે અને તેમની હાલતમાં સુધાર આવશે!

હિન્દુ સંસ્કૃતિમાં જેના “જતન”ની વાતો થઈ છે, જેને આપણે “ગૌમાતા” તરીકે પૂજીએ છીએ એ જ “ગૌમાતા”ઓ રાજકોટના “ઢોરવાડા”માં એટલી દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે કે જોઈને કંપારી છૂટી જાય ! રાજકોટના કોઠારિયા રોડ પર RMCનો ઢોર ડબ્બો આવેલો છે. પરંતુ, તે ઢોર ડબ્બાનું સંચાલન કરનારા સંચાલકો હાલ સવાલોના ઘેરામાં છે. કારણ કે આ ઢોરવાડામાં માવજતના અભાવે રોજ પાંચથી સાત ગાયો મોતને ભેટી રહી છે ! એટલું જ નહીં. મૃત ગાયોને સમયસર ખસેડવામાં પણ નથી આવી રહી. અને બીજી તરફ. જીવતી ગાયો નરી ગંદકી વચ્ચે કણસી રહી છે.

કોર્પોરેશનના આ ઢોરવાડાનું સંચાલન “જીવદયા ઘર પાંજરાપોળ” ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર શાહ. અને યશ શાહ નામના વ્યક્તિ. આ ટ્રસ્ટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ જ્યારે તમે આ પાંજરાપોળમાં પ્રવેશ કરો છો. ત્યારે “દયા” શોધવા જવી પડે તેવી સ્થિતિ છે ! તો સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનો આક્ષેપ છે કે ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા મહિને 60 લાખ રૂપિયા નિભાવ ખર્ચ અપાય છે. પણ તેનાથી ગાયો માટે કામ કરવાને બદલે તે રકમ ઘરભેગી કરી દેવામાં આવે છે.

અહીં જુઓ વીડિયો 

ઢોર ડબ્બામાં 1500 જેટલાં પશુઓ છે. પરંતુ, માવજતના અભાવે રોજ નાના વાછરડા સહિત અનેક ગાયો મોતને ભેટી રહી છે. જો કે સમગ્ર મામલે હોબાળો થતાં. ટ્રસ્ટના સંચાલકો પણ સામે આવ્યા હતા અને પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાયું હતું.

દાવો ગમે તે હોય, હકીકત શું છે તે જાણવા આ દૃશ્યો જ પૂરતાં છે. જીવદયા પ્રેમીઓ આ પાંજરાપોળને “કતલખાનું” ગણાવી રહ્યા છે. અને અહીંના દૃશ્યો પણ તે જ ચાડી ખાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે રાજકોટ કોર્પોરેશન આ અંગે પગલાં લે છે ક્યારે ?

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાના શાયરાના અંદાજથી વધુ આક્રોષિત થયા ક્ષત્રિયો, રજપૂત સમાજે કહ્યુ ‘શરમ કરો રૂપાલા’- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
g clip-path="url(#clip0_868_265)">