રાજકોટમાં BAPS દ્વારા સામાજિક જાગૃતિના હેતુ સાથે પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ

રાજકોટમાં આવેલા BAPS મંદિર દ્વારા રેસકોર્સ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું (Manav Utkarsh mahotsav)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યસન મુક્તિ, પારિવારિક સંપ, સોશ્યિલ મીડિયાના વ્યસનમાંથી બહાર કેમ આવવું તે અંગે પાંચ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવશે.

રાજકોટમાં BAPS દ્વારા સામાજિક જાગૃતિના હેતુ સાથે પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ
BAPS Manav Utkarsh mahotsav In Rajkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 11:58 AM

અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજના (Pramukh swami maharaj) 100માં જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે BAPS દ્વારા વૈશ્વિક સ્તરે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત રાજકોટના  (Rajkot) BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રેસકોર્સ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવ ઉત્કર્ષ મહોત્સવને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, મેયર ડૉ. પ્રદીપ ડવ, કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ અંગે મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે રાજકોટમાં આવેલા BAPS મંદિર દ્વારા રેસકોર્સ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું (Manav Utkarsh mahotsav) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યસન મુક્તિ, પારિવારિક સંપ, સોશ્યિલ મીડિયાના વ્યસનમાંથી બહાર કેમ આવવું તે અંગે  પાંચ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં સમાજનો ઉત્કર્ષ થાય અને લોકો મોબાઇલથી માંડીને સોશ્યિલ મીડિયા દ્વારા માનસિક અને આર્થિક રીતે થતા નુકસાન તેમજ શરીરને નુકસાન કરતા તમાકુ, દારૂ જેવા વ્યસનોથી દૂર થાય તે માટે પાંચ દિવસના મહોત્સવમાં વિવિધ પ્રદર્શનો અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાશે.

BAPS સંસ્થા દ્વારા સ્વામિનારાયણ ભગવાનના નિયમોનું પાલન કરીને  સામાજિક વિકાસના વિવિધ  કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે તેમાં  વ્યસન મુક્તિ સહતિ પાણી  બચાવવા તેમજ  શિક્ષણ અંગે જાગૃતતા લાવવાના વિવિધ પ્રયાસો સામેલ છે. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં વ્યસન મુક્તિ, પારિવારિક કલેહમાંથી સંપ, આજના વ્યસ્ત સમયમાં સોશિયલ મીડિયાના નકારાત્મક પાસાથી યુવાધનને કેમ બચાવવું તેવા વિવિધ વિષયો સહિતના મુદ્દે વિવિધ પ્રદર્શન તેમજ પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">