AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન અને ગૃહ સચિવ પ્રીતિ પટેલે Neasden BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, દિવાળીની ઉજવણીમાં આપી હાજરી

યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અને ભારતીય મૂળના બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલે રવિવારે BAPS સ્વામિનારાયણ મંદિર, લંડનમાં ભક્તો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી હતી.

બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન અને ગૃહ સચિવ પ્રીતિ પટેલે Neasden BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, દિવાળીની ઉજવણીમાં આપી હાજરી
બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન અને ગૃહ સચિવ પ્રીતિ પટેલે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:37 PM
Share

UK Prime Minister : ભારતમાં દિવાળી ભલે પૂરી થઈ ગઈ હોય, પરંતુ દુનિયાના ઘણા ભાગોમાં દિવાળીનો તહેવાર હજુ પણ ઉજવવામાં આવે છે. બ્રિટનના વડાપ્રધાને દિવાળી નિમિત્તે તમામ ભારતીયોને સંદેશો આપ્યો અને તેમણે મંદિરમાં જઈને દિવાળીની ઉજવણી કરી છે. જેની ઘણી સુંદર તસવીરો સામે આવી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે બ્રિટનના ગૃહ સચિવ પ્રીતિ પટેલ પણ હાજર હતા.

યુનાઇટેડ કિંગડમ (યુકે)ના વડા પ્રધાન બોરિસ જોન્સન અને ગૃહ સચિવ પ્રીતિ પટેલે ઉત્તર લંડનમાં BAPS સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને નેતાઓએ દિવાળીના શુભ અવસર પર આયોજિત ઉજવણીમાં પણ ભાગ લીધો હતો. આ મંદિરને Neasden Temple તરીકે પણ ઓળખવામાં આવે છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, પીએમ (Prime Minister) જોન્સનનું હિન્દુ પરંપરા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રીતિ પટેલનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ જોન્સન (PM Johnson) અને પ્રીતિ પટેલે મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમણે ભગવાનને દૂધ અને ફળો પણ અર્પણ કર્યા હતા.

યુકેના પીએમ બોરિસ જ્હોન્સને (PM Johnson) ટ્વીટ કર્યું, આજે ઉત્તર લંડનમાં Neasden Templeની મુલાકાત લેવી ખરેખર અદ્ભુત હતી. જ્યારે આપણે હિન્દુ નવું વર્ષ અને દિવાળી ઉજવીએ છીએ, ત્યારે હું તમામ બ્રિટિશ હિન્દુઓને મારી હાર્દિક શુભેચ્છાઓ મોકલવા માંગુ છું જેમણે અમને ટેકો આપ્યો છે.

PMએ મંદિરની વિશ્વવ્યાપી કોરોના પહેલની પ્રશંસા કરી

સ્વાગત સત્ર પછી, મહાનુભાવોએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત Neasden Templeના વિશ્વવ્યાપી COVID-19 રાહત પહેલોની વિગતો આપતા પ્રદર્શનની સમીક્ષા કરી. માર્ચ 2020 માં, હિન્દુ નેતાએ તમામ BAPS સભ્યો માટે તેમના વિસ્તારોમાં વૃદ્ધ, નિરાધાર અને વંચિતોને મદદ કરવા તેમજ ચાલી રહેલા કોરોના રોગચાળા વિશે દરેકને જાગૃત કરવા માટે એક અરજી બહાર પાડી હતી. તેમનું રક્ષણ કરવા અને ટેકો આપવા પણ કહ્યું.

યુકેના પીએમ અને બ્રિટિશ ગૃહ પ્રધાન મંદિરની મુલાકાત દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ લોકોને મળ્યા હતા. તેઓ એવા પુરૂષો અને સ્ત્રીઓને પણ મળ્યા જેઓ જરૂરિયાતમંદો માટે ભોજન બનાવે છે અને તેનું વિતરણ કરે છે.

બોરિસ જ્હોન્સને અન્ય એક ટ્વીટમાં કહ્યું કે ‘આજે Neasden Templeમાં કામ કરતી સામુદાયિક ભાવના જોવી પ્રેરણાદાયક છે. પ્રીતિ પટેલ અને મેં હિંદુઓએ યુકેમાં અમારી પોલીસમાં અને NHSમાં સેવા આપવાથી માંડીને કોવિડ રસી લાગુ કરવા માટે અતુલ્ય યોગદાન આપતા જોયા છે. અમારા અદ્ભુત હિન્દુ સમુદાયને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દિવાળીની શુભકામનાઓ!’

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">