Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

રાજકોટમાં જનકલ્યાણ હોલ ખાતે 79 જેટલા બાળકો સાથે પહેલા સંવાદ કર્યો હતો અને બાળકો સાથે ભોજન લીધું હતું. આ સાથે સહાય સેતુના કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી.

Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન
CM Vijay Rupani
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 02, 2021 | 4:44 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Rupani) આજે પોતાના 65માં જન્મદિવસ નિમિતે પોતાના વતન રાજકોટ ખાતે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની સાથે ભોજન લઈને જન્મદિવસની ઉજવણી કરી હતી.

રાજકોટમાં જનકલ્યાણ હોલ ખાતે 79 જેટલા બાળકો સાથે પહેલા સંવાદ કર્યો હતો અને બાળકો સાથે ભોજન લીધું હતું. આ સાથે સહાય સેતુના કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. વિજય રૂપાણીએ બાળકોને ભેટ પણ આપી હતી. રાજ્યભરમાં આ રીતે કોરોનાગ્રસ્ત બાળકોને સહાય આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

કોરોનામાં એક વાલી ગુમાવનારને પણ મળશે બે હજારની સહાય

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું હતુ કે પહેલા કોરોનામાં માતા પિતા બંન્ને ગુમાવનારને 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જો કે હવે 18 માર્ચ 2020થી માતા અથવા પિતા બંન્નેમાંથી એક વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવનારને પણ 18 વર્ષના થાય ત્યાં સુધી બે હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

વિધવા મહિલા પુન: વિવાહ કરશે તો મળશે 50 હજારની સહાય

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધવા બહેન પુન: લગ્ન કરે તો તેના માટે પણ વિશેષ સહાયની જાહેરાત કરી હતી. હવે જો કોઈ વિધવા બહેન ફરી લગ્ન કરશે તો સરકાર દ્વારા તેને 50 હજાર રૂપિયાની સહાય મળશે. વિધવા બહેનના લગ્ન ફરી થાય અને સંસાર કરી આગળ વધે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ અંતર્ગત 244 લોકોને વિધવા સહાય, સૂચિત સોસાયટીના મકાનની સનદ, દિવ્યાંગોને સહાય, ક્રીમીલીયર સર્ટિ. અને જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા આની સાથે જ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3,963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000ની સહાય ચૂકવવાની યોજનાનો પ્રારંભ કર્યો છે.

નોંધનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1થી 9 ઓગસ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરી રહી છે.

આ પણ વાંચો : સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને ખાતામાં ઓનલાઈન 2000 રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો : Kutch : ભુજના ઐતિહાસિક ભુજીયા ડુંગરની આસપાસ સફાઇ રાખવા તંત્ર સમક્ષ લોકોની માંગ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">