AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar : લમ્પી વાયરસને અટકાવવા માટે પશુ આરોગ્ય વિભાગ એકશનમાં, સારવારથી ઘણા પશુઆનું સ્વાસ્થ્ય સુધર્યુ

પોરબંદર (Porbandar) જિલ્લામાં થોડા દિવસોથી લમ્પી વાયરસ (Lumpy virus) ફેલાઇ રહ્યો છે. જેને ધ્યાને રાખીને પશુ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ઉદ્યોગનગરમાં એક આઇસોલેશન વોર્ડ શરૂ કરી લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી છે

Porbandar : લમ્પી વાયરસને અટકાવવા માટે પશુ આરોગ્ય વિભાગ એકશનમાં, સારવારથી ઘણા પશુઆનું સ્વાસ્થ્ય સુધર્યુ
લમ્પી વાયરસથી પીડિત પશુઓને આપવામાં આવી રહી છે સારવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 6:20 PM
Share

પોરબંદરમાં (Porbandar) પશુઓમાં લમ્પી વાયરસનો (Lumpy virus) રોગચાળો ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં લમ્પી વાયરસને અટકાવવા માટે પશુ આરોગ્ય વિભાગ (Department of Animal Health) એકશનમાં આવ્યું છે. પશુ આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ શરૂ કરી તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કર્યુ છે. તો આજે પણ કેટલાક પશુ સારવારમાં છે, તો કેટલાક પશુઓના મોત થયા છે. આરોગ્ય વિભાગે જિલ્લામાં રખડતા અને માલિકીના પશુઓની વૅક્સીનેસનની કામગીરી શરૂ કરી છે.

2100થી વધુ રખડતા પશુઓને વેકસીન અપાઇ

પોરબંદર જિલ્લામાં થોડા દિવસોથી લમ્પી વાયરસ ફેલાઇ રહ્યો છે. જેને ધ્યાને રાખીને પશુ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ઉદ્યોગનગરમાં એક આઇસોલેશન વોર્ડ શરૂ કરી લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી છે. કેટલાક ગંભીર બીમાર પશુઓના મોત પણ થયા છે, ત્યારે આરોગ્ય વિભાગે આરોગ્ય વિભાગે જિલ્લામાં રખડતા અને માલિકીના પશુઓની વૅક્સીનેસનની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 2100થી વધુ રખડતા પશુઓને વેકસીન આપવામાં આવી છે

લમ્પી વાયરસથી 12 પશુઓના મોત

પોરબંદરના પશુ ચિકિત્સક એ. જી મનસુરીએ જણાવ્યુ હતુ કે, પોરબંદર ઉદ્યોગનગરમાં એક આઇસોલ્સન વોર્ડ શરૂ કરી તેમાં બિનવારસી પશુઓને સારવારમાં લાવવામાં આવેલા છે. અત્યાર સુધીમાં કુલ 58 પશુઓની સારવાર આપી છે. જેમાંથી 4 પશુઓની તબિયત સુધરી જતા તેમને ડિસ્ચાર્જ કરેલા છે. તો વધુ ગંભીર હતા તેવા 12 પશુઓના મોત થયા છે. આ કામગીરીમાં અમને પાલિકા અને સેવાભાવી સંસ્થાઓએ જગ્યા ફાળવી આપી છે. તેમજ ભોજન અને દવાની વ્યવસ્થા કરી આપી છે.

સારવાર થતા ઘણા પશુઓની તબિયત સુધારા પર

આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ પશુઓને કેટલીક સેવાભાવી સંસ્થા અને માનવતા વાદી લોકોએ પાણી ખોરાકની પૂરતી વ્યવસ્થાના કારણે આજે ઘણા પશુઓની તબિયત સુધારા પર છે. આજે દાતા અને પશુ ચિકિત્સકોના પ્રયાસથી મૃત્યુ આંક ઘટી રહ્યો છે. પરંતુ રખડતા ઢોરને જો નિયમિત ખોરાક અને દવા મળતી રહે તો લંપી રોગમાં રાહત મળી રહે તેવું પશુ ચિકિત્સકો માની રહ્યા છે.

Follow Us
ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM વડોદરા આવશે
ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM વડોદરા આવશે
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
g clip-path="url(#clip0_868_265)">