AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbanadar: ઘેડ પંથકમાં વરસાદે તારાજી વેરી, ખેતરો ડૂબાણમાં ગયા

પોરબંદરના(Porbandar)ઘેડ પંથકમાં વરસાદને પગલે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નોંધનીય છે કે છલ્લા થોડા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે.ત્યારે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

Porbanadar: ઘેડ પંથકમાં વરસાદે તારાજી વેરી, ખેતરો ડૂબાણમાં ગયા
Heavy Rain in Ghed Porbandar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:15 PM
Share

Gujsarat Monsoon 2022:પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ હતી અને તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનતો વરસાદ (Rain)હવે આફત રૂપ લાગ્યો હતો. પોરબંદરના(Porbandar) ઘેડ પંથકમાં વરસાદને પગલે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નોંધનીય છે કે છલ્લા થોડા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે અને આ વરસાદને કારણે ખેડૂતોએ સૌથી વધુ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

આ સાથે જ  14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી. ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે. આ સાથે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આંણદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં યેલ્લો એલર્ટ અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ કરાયું છે. આગાહીને ભાગરૂપે  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તંત્રએ  પાળીના લેવલનું કામ ન કરતા ખેડૂતો બન્યા મુશ્કેલીનો ભોગ

પોરબંદરના તંત્રએ દરિયાની પાળીનું લેવલ કરવાનું કામ પૂર્ણ કર્યું ન હતું અને તેનો ભોગ ખેડૂતો  બન્યા છે. પોરબંદરમાં વરસાદ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીને કારણે ઘેડ પંથકના કેટલાક ગામોના ખેતરમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ છે અને ઘેડ પંથકના તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા વાવણી કરેલો પાક ધોવાયો હતો અને દરિયામાં તણાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ બન્યું છે ત્યારે વરસાદના કારણે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા  હતા.

આ પણ વાંચો

વરસાદની આગાહી થઈ ત્યારે વહીવટી તંત્રએ દરિયાની રેતીની પાળનું લેવલ કરવાનું હતું જે કામ થયું નહોતું. આ ગંભીર ભૂલનો ભોગ ખેડૂતો બન્યા છે અને તેમનો પાક ધોવાઈને દરિયા ભેગો થઈ જતા જગતના તાતનો પરિશ્રમ એળે ગયો હતો. કારણ કે પાળનું લેવલ ન થતા ઘેડ પંથકના ગામોમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા. જેને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ તેમની વ્યથા ઠાલવી છે કે અતિશય મહેનત કરીને કરેલી વાવાણી પાળા ન બનાવવાને કારણે વ્યર્થ ઘઈ છે અને ખેડૂતોનો સમય તો વ્યય થયો છે, સાથે સાથે આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">